Get News Alerts

Never miss breaking news updates.

Flood Relief: 11 ટન રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું 9મું વિમાન નેપાળ પહોંચ્યું

Flood Relief: ભારતે શનિવારે ભારતીય વાયુસેનાના C-130 વિમાનનો ઉપયોગ કરીને 11 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડી.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 04:36 PM IST
Flood Relief: 11 ટન રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું 9મું વિમાન નેપાળ પહોંચ્યુંFlood Relief: 11 ટન રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું 9મું વિમાન નેપાળ પહોંચ્યું

Flood Relief

Flood Relief: નેપાળમાં માનવીય સહાય અને આપત્તિ રાહત પ્રયાસો ચાલુ રાખતા, ભારતે શનિવારે ભારતીય વાયુસેનાના C-130 વિમાનનો ઉપયોગ કરીને 11 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડી.

નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી શેર કરી કેટલાક ફોટા અને વીડિયો ક્લિપ્સ શેર કરતા તેમને લખ્યું છે કે "નેપાળમાં રાહત અને પુનર્નિર્માણ પ્રયાસોમાં ભારતનો સહયોગ ચાલુ છે. શનિવારે, 9મું ભારતીય વાયુસેના (IAF) વિમાન 11 ટન પુરવઠો, જેમાં તંબુ, દવાઓ, સ્લીપિંગ બેગ અને ફોરેન્સિક સામગ્રીનો સમાવેશ થાય છે, આ વિમાન કાઠમંડુમાં ઉતર્યું અને નેપાળ સરકારને પુરવઠો સોંપ્યો."

કુદરતી આફતમાં 1,300 થી વધુ લોકો મૃત્યુ

નેપાળ માટે ઉડાન ભરતા પહેલા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું વિમાન રાહત સામગ્રી સાથે રવાના થયું છે. નેપાળ 26 ઓગસ્ટના રોજ આવેલા વિનાશક પૂરમાંથી બહાર આવી રહ્યું છે, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો. કુદરતી આફતમાં 1,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો હજુ પણ ગુમ છે.

ભારતમાં નેપાળ દૂતાવાસે જણાવ્યું હતું કે શુક્રવારે નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ રાસુવામાં આવેલા પૂર પછી બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

નેપાળ-ભારત મિત્રતાને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા

"નેપાળના નાણામંત્રી ડો. સ્વર્ણિમ વાગલે નવી દિલ્હીમાં ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરને મળ્યા. મંત્રી વાગલેએ રાસુવામાં તાજેતરના પૂર પછી બચાવ અને રાહત કામગીરીમાં ભારત સરકારની સહાય બદલ આભાર માન્યો," દૂતાવાસે X પર લખ્યું.

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "બંને મંત્રીઓએ વર્ષો જૂની નેપાળ-ભારત મિત્રતાને વધુ ગાઢ બનાવવા અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી."

નેપાળના મંત્રી મહાબીર પુનને સોંપવામાં આવી હતી સામગ્રી

ગયા અઠવાડિયે ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત અને બચાવ સામગ્રી - જેમાં ટનલ બચાવ અને ફોરેન્સિક પુરવઠો સામેલ છે - નેપાળના મંત્રી મહાબીર પુનને સોંપવામાં આવી હતી.

નવીન શ્રીવાસ્તવે એક્સ પર કહ્યું હતું કે, "રાહત અને બચાવ સામગ્રી (સુરંગ બચાવ અને ફોરેન્સિક પુરવઠો સહિત) લઈને આઠમું ભારતીય વાયુસેનાનું વિમાન કાઠમંડુ પહોંચ્યું અને આ સામગ્રી નેપાળના મંત્રી મહાબીર પુનને સોંપવામાં આવી."

આ પણ વાંચો: Passport Rules 2026: બાળકોના પાસપોર્ટની માન્યતા બદલાઈ, ફીમાં પણ થયો મોટો વધારો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.