Get News Alerts

Never miss breaking news updates.

Arvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લી

Arvalli જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે શ્રાવણ મહિનામાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 07:34 AM IST
Arvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લીArvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લી

Arvalli

Arvalli : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભોળાનાથની વિશેષ પૂજા અને ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી યોજાતી આ ગંગા આરતી હવે ગામના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો મહત્વનો ભાગ બની રહી છે.

મેઢાસણ ગામમાં યોજાતી ગંગા આરતીમાં બનારસની પરંપરાની ખાસ ઝલક જોવા મળે છે. આ આરતી માટે બનારસથી ખાસ પંડિતો ગામમાં પહોંચે છે, જેઓ વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે ભોળાનાથની વિશેષ આરાધના કરાવે છે. આરતી દરમિયાન ધાર્મિક મંત્રોના ગુંજારવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.

બનારસ ન જઈ શકતા ભક્તો ખાસે પહોંચે છે મેઢાસણ ગામે

શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને મેઢાસણ ગામમાં ભક્તો માટે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે. ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગંગા આરતીનો લાભ લે છે અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આ ગંગા આરતીની ખાસિયત માત્ર સ્થાનિક ભક્તો સુધી સીમિત નથી. અન્ય રાજ્યોમાં રહેતા મેઢાસણ ગામના લોકો પણ આ વિશેષ આરતીમાં ભાગ લેવા માટે ગામમાં પહોંચે છે. વર્ષોથી ગામથી દૂર રહેતા લોકો માટે આ આયોજન પોતાના વતન સાથે જોડાવા અને પરિવારજનો તથા ગ્રામજનો સાથે ભક્તિમાં જોડાવાનો સુંદર અવસર બની રહ્યું છે.

બનારસથી ખાસ આરતી માટે પહોંચે છે પંડિતો

બનારસ જઈને ગંગા આરતીનો અનુભવ ન કરી શકતા ભક્તો માટે મેઢાસણ ગામની આ આરતી એક વિશેષ આકર્ષણ બની છે. ગામમાં જ બનારસ જેવી ધાર્મિક પરંપરાની અનુભૂતિ થતી હોવાથી આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. વૈદિક મંત્રોચ્ચાર, દીવડાઓની રોશની અને ભક્તિભાવ વચ્ચે યોજાતી આરતીથી સમગ્ર મેઢાસણ ગામનું વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે.

બનારસની ગંગા આરતીની પરંપરાને ગામની શ્રદ્ધા સાથે જોડતું આ આયોજન ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સંગમ બની રહ્યું છે. છેલ્લા બે વર્ષથી યોજાતી આ ગંગા આરતી ભવિષ્યમાં પણ વધુ ભવ્ય સ્વરૂપ ધારણ કરે તેવી ભક્તોની લાગણી છે. શ્રાવણના પવિત્ર માસમાં મેઢાસણ ગામે ભોળાનાથની આરાધના સાથે થતી આ ગંગા આરતી ભક્તો માટે શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ બની રહી છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : 10 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.