Get News Alerts

Never miss breaking news updates.

હરીભાઈ ચૌધરીએ OBC મંત્રાલય માટે PMને લખ્યો પત્ર

હરીભાઈ ચૌધરીએ દેશના વડાપ્રધાન Narendra Modi અને ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખી OBC સમાજ માટે અલગ વિભાગ અને મંત્રાલય રચવાની માંગ કરી છે...
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 01:16 PM IST
હરીભાઈ ચૌધરીએ OBC મંત્રાલય માટે PMને લખ્યો પત્રહરીભાઈ ચૌધરીએ OBC મંત્રાલય માટે PMને લખ્યો પત્ર

ગાંધીનગર : રાજકીય આગેવાન Haribhai Chaudharyએ ગુજરાતમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠાવી છે... તેમણે જણાવ્યું હતું કે OBC સમાજને બંધારણીય દરજ્જો મળ્યા બાદ હવે અલગ મંત્રાલય બનાવવું સમયની માંગ બની ગઈ છે...

હરીભાઈ ચૌધરીએ દેશના વડાપ્રધાન Narendra Modi અને ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખી OBC સમાજ માટે અલગ વિભાગ અને મંત્રાલય રચવાની માંગ કરી છે...

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં OBC સમાજની કુલ 146 જેટલી જ્ઞાતિઓ વસવાટ કરે છે અને સમાજના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે અલગ મંત્રાલય જરૂરી છે...

હરીભાઈ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવશે તો અન્ય કોઈ સમાજને અન્યાય નહીં થાય, પરંતુ સમાજના વિકાસ અને હકોને વધુ મજબૂતી મળશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.