Abhishek Sharmaની રેકોર્ડબ્રેક ઈનિંગ પછી યુવરાજ સિંહની પોસ્ટ વાયરલ, કહ્યું- "જ્યારે દુનિયા પથ્થર ફેંકે..."


Abhishek Sharma
Abhishek Sharmaની રેકોર્ડબ્રેક ઈનિંગ પછી યુવરાજ સિંહની પોસ્ટ વાયરલ, કહ્યું- "જ્યારે દુનિયા પથ્થર ફેંકે..."


Abhishek Sharma
Abhishek Sharma: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેના કોચ અને મેન્ટર યુવરાજ સિંહ તેની શાનદાર ઈનિંગથી ખૂબ જ ખુશ થયો હતો.
અભિષેકને અભિનંદન આપતા યુવરાજે કહ્યું કે તે હંમેશા માનતો હતો કે અભિષેક તેની મહેનત અને ટેલેન્ટ દ્વારા તે આ સફળતા પ્રાપ્ત કરશે. તેને એ પણ યાદ અપાવ્યું કે આ તો ફક્ત શરૂઆત છે, અને અભિષેક ઘણા વધુ રેકોર્ડ તોડશે.
યુવરાજ સિંહે અભિષેક શર્મા માટે પોસ્ટમાં શું લખ્યું?
યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર અભિષેક શર્માની પ્રશંસા કરતા લખ્યું છે કે "T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવા બદલ તેને ખૂબ ખૂબ અભિનંદન." તેને કહ્યું કે તે હંમેશા અભિષેકની મહેનત અને પ્રતિભામાં વિશ્વાસ રાખે છે, અને આ તો ફક્ત શરૂઆત છે, તેની પાસે તોડવા માટે ઘણા બધા રેકોર્ડ છે. યુવરાજે આગળ લખ્યું છે કે "એક મહાન માણસે એક વાર કહ્યું હતું, 'જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે છે, ત્યારે તેને માઈલસ્ટોનમાં ફેરવો.' તમારા બેટથી તેનો જવાબ આપો, અને તમે બરાબર એ જ કરી રહ્યા છો. મને તમારા પર ગર્વ છે. નમ્ર રહો અને પ્રોસેસને ફોલો કરો."
https://twitter.com/YUVSTRONG12/status/2100919446051442911
અભિષેકે ત્રીજી T20 પહેલા યુવરાજ પાસેથી મેળવ્યો ગુરુ મંત્ર
ત્રીજી T20 મેચમાં સદી ફટકાર્યા બાદ અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે યુવરાજ સિંહે પાછલી મેચ પછી તેમને એક ખાસ મેસેજ મોકલ્યો હતો. યુવરાજે તેને સલાહ આપી હતી કે દરેક બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ ન કરે. જો બોલ સ્લોટમાં ફિટ ન થાય, તો વચ્ચે 1 કે 2 રન લઈને સ્ટ્રાઈક ફેરવવી વધુ સમજદારીભર્યું છે. અભિષેકે કહ્યું કે યુવરાજ સર હંમેશા ઈચ્છે છે કે તે લાંબી ઈનિંગ રમે. તેથી તે હંમેશા ટીમને શાનદાર શરૂઆત આપવા અને મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખે છે. તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહે અભિષેક શર્મા, શુભમન ગિલ અને પ્રભસિમરન સિંહના પણ મેન્ટર રહી ચૂક્યો છે.
ટીમના પ્રદર્શન વિશે અભિષેકે શું કહ્યું?
મેચ પછી અભિષેક શર્માએ કહ્યું કે "અમારી ટીમ છેલ્લા બે વર્ષથી સતત સારું રમી રહી છે. વચ્ચે 2-3 ખરાબ સિરીઝ આપણી ક્ષમતાને સચોટ રીતે પ્રતિબિંબિત કરતી નથી. કોઈપણ ક્રિકેટરના કરિયરમાં વધઘટ થતું ફોર્મ સામાન્ય છે, પરંતુ ટીમ તરીકે આપણી માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે." પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ બંને એવોર્ડ જીતનાર અભિષેકે 34 બોલમાં 108 રન ફટકાર્યા, જેમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેની ત્રીજી સદી હતી.
આ પણ વાંચો: Jos Buttlerએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો





