Get News Alerts

Never miss breaking news updates.

India - Uzbekistan: તાશકંદમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, મિર્ઝિયોયેવ સાથે આજે મહત્વપૂર્ણ બેઠક

India - Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં રવિવારે રાજધાની તાશકંદમાં તેમનું ઔપચારિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 02:05 PM IST
India - Uzbekistan: તાશકંદમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, મિર્ઝિયોયેવ સાથે આજે મહત્વપૂર્ણ બેઠકIndia - Uzbekistan: તાશકંદમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, મિર્ઝિયોયેવ સાથે આજે મહત્વપૂર્ણ બેઠક

India - Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં રવિવારે રાજધાની તાશકંદમાં તેમનું ઔપચારિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવે PM મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. મુલાકાત દરમિયાન ભારત-ઉઝબેકિસ્તાનના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

PM મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાશે. આ દરમિયાન વેપાર, રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે.

‘વિકસિત ભારત-2047’ પર પણ ચર્ચા

બંને નેતાઓ ‘વિકસિત ભારત-2047’ અને ‘યાંગી ઉઝબેકિસ્તાન-2030’ના સંયુક્ત વિકાસ લક્ષ્યોને આગળ વધારવા અંગે વિચારવિમર્શ કરશે. PM મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

ઉઝબેકિસ્તાનમાં યોગની ઝલક

PM મોદીની મુલાકાત દરમિયાન યોગને પણ વિશેષ સ્થાન મળ્યું. તેમણે તાશકંદમાં યોજાયેલા ખાસ યોગ સત્રનું નિરીક્ષણ કર્યું, જેમાં ઉઝબેકિસ્તાનના 52 યોગ સાધકોએ ભાગ લીધો હતો. PM મોદીએ યોગ સત્રની પ્રશંસા કરતા કહ્યું કે ઉઝબેકિસ્તાનને યોગ સાથે જોડવા બદલ તેઓ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના આભારી છે.

ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

તાશકંદ પહોંચ્યા બાદ ઉઝબેકિસ્તાનમાં વસતા ભારતીય સમુદાયે PM મોદીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. લોકોએ ‘મોદી-મોદી’, ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા. કેટલીક ભારતીય મહિલાઓએ PM મોદીને રાખડી પણ બાંધી હતી.

PM મોદીની ચોથી ઉઝબેકિસ્તાન મુલાકાત

PM મોદીએ તાશકંદ પહોંચ્યા બાદ જણાવ્યું કે આ તેમની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોની ઊંડાઈ અને સતત વધી રહેલી ગતિ દર્શાવે છે. બંને દેશો વચ્ચે આ મુલાકાતથી વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને નવી દિશા મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Nepal Floods: નેપાળમાં વિનાશક પૂરનો કહેર: મૃત્યુઆંક 734 પર પહોંચ્યો, 2,498 લોકો હજુ લાપતા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.