Etihad Airwaysની દિલ્હીથી અબુધાબી જતી ફ્લાઈટ અચાનક કરાઈ કેન્સલ, 200 મુસાફરો એરપોર્ટ પર અટવાયા


Etihad Airways
Etihad Airwaysની દિલ્હીથી અબુધાબી જતી ફ્લાઈટ અચાનક કરાઈ કેન્સલ, 200 મુસાફરો એરપોર્ટ પર અટવાયા


Etihad Airways
Etihad Airways : દિલ્હીથી અબુધાબી જતી Etihad Airwaysની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા આશરે 200 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. શનિવારની રાત્રે દિલ્હી એરપોર્ટ પરથી અબુધાબી જવા માટે નિર્ધારિત ફ્લાઇટ EY-217માં મુસાફરો સવાર થયા બાદ ક્રૂ દ્વારા ટેક્નિકલ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
ફ્લાઈટનું ટેકઓફ અટકાવી દેવામાં આવ્યું
નિર્ધારિત સમય મુજબ ફ્લાઈટ EY-217એ શનિવારે રાત્રે 9:15 વાગ્યે દિલ્હીથી અબુધાબી માટે ઉડાન ભરવાની હતી. જોકે, વિમાનમાં ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ ફ્લાઈટનું ટેકઓફ અટકાવી દેવામાં આવ્યું હતું. આશરે 200 મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ પર રાહ જોવી પડી હતી. મુસાફરોને શરૂઆતમાં આશા હતી કે થોડા સમય બાદ ટેક્નિકલ સમસ્યા દૂર થઈ જશે અને ફ્લાઈટ પોતાના નિર્ધારિત રૂટ પર રવાના થશે. જોકે, કેટલાક કલાકોની રાહ બાદ એરલાઈને ફ્લાઈટ રદ કરવાની જાણકારી આપી હતી. જેના કારણે મુસાફરોની અબુધાબી સુધીની મુસાફરીમાં અચાનક વિક્ષેપ સર્જાયો હતો.
મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની ફરજ પડી
EY-217 ફ્લાઈટ માટે Boeing 787-9 વિમાનનો ઉપયોગ થવાનો હતો. જોકે વિમાનમાં કઈ પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, તેની ચોક્કસ માહિતી તાત્કાલિક સામે આવી નથી. ફ્લાઈટ રદ થયા બાદ મુસાફરોને અબુધાબી પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની ફરજ પડી હતી. કેટલાક મુસાફરો માટે આગળની મુસાફરી, કનેક્ટિંગ ફ્લાઈટ અને અન્ય પ્રવાસ યોજનાઓ પણ પ્રભાવિત થવાની શક્યતા છે.
હાલ Etihad Airways દ્વારા ટેક્નિકલ ખામી અંગે વિગતવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને પડેલી મુશ્કેલી વચ્ચે એરલાઈન દ્વારા આગળની મુસાફરી માટે શું વ્યવસ્થા કરવામાં આવી તે અંગેની વિગતો પણ મહત્વપૂર્ણ બની છે.
આ પણ વાંચો : Rajasthan: ભારત-જાપાન વાયુસેનાના એર ચીફે ભરી ઉડાન, જોધપુરમાં યોજાઈ 'વોર ડ્રિલ'





