Get News Alerts

Never miss breaking news updates.

MorariBapu: દિલ્હી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ.1.05 લાખ અને ચિત્રકૂટ માટે રૂ.5 લાખની સહાય

Morari Bapu: દેશના વિવિધ વિસ્તારોમાં સર્જાઈ રહેલી અતિવૃષ્ટિ અને અકસ્માતની કરુણ ઘટનાઓ વચ્ચે પૂજ્ય મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 07:35 PM IST
MorariBapu: દિલ્હી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ.1.05 લાખ અને ચિત્રકૂટ માટે રૂ.5 લાખની સહાયMorariBapu: દિલ્હી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ.1.05 લાખ અને ચિત્રકૂટ માટે રૂ.5 લાખની સહાય

Morari Bapu:

Morari Bapu: દેશના વિવિધ વિસ્તારોમાં સર્જાઈ રહેલી અતિવૃષ્ટિ અને અકસ્માતની કરુણ ઘટનાઓ વચ્ચે પૂજ્ય મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ દુઃખની ઘડીમાં પીડિત પરિવારોને સહાયરૂપ થવાના હેતુથી આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે. મોરારી બાપુની માનવસેવાની પરંપરા અંતર્ગત દિલ્હી બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટના અને ચિત્રકૂટમાં અતિવૃષ્ટિની ઘટનામાં સહાય જાહેર કરવામાં આવી છે. મોરારી બાપુની સત્તાવાર સંસ્થા પણ તેમની શિક્ષણપરંપરામાં ‘સત્ય, પ્રેમ અને કરુણા’ને કેન્દ્રસ્થાને રાખે છે.

દિલ્હીની બિલ્ડિંગ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત

તાજેતરમાં દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાની કરુણ ઘટના બની હતી. આ ઈમારતનો ઉપયોગ PG તરીકે થતો હોવાનું સામે આવ્યું હતું અને બિલ્ડિંગના બેઝમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ઈમારત અચાનક ધરાશાયી થતાં અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા અને સાત લોકોનાં મોત થયા હતા. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

મૃતકોને શ્રદ્ધાંજલિ, પરિવારજનોને રૂ.1.05 લાખની સહાય

આ કરુણ ઘટનામાં પૂજ્ય મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકના પરિવારજનોને રૂ.15 હજાર લેખે કુલ રૂ.1,05,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે. આપેલી માહિતી મુજબ આ સહાય રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

ચિત્રકૂટમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન

બીજી તરફ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલ ચિત્રકૂટમાં મંદાકિની નદીના વધેલા પ્રવાહ અને પૂર જેવી સ્થિતિને લઈને NDRF તથા SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હોવાના તાજા અહેવાલો છે.

ચિત્રકૂટ માટે રૂ.5 લાખની તાત્કાલિક સહાય

ચિત્રકૂટમાં અતિવૃષ્ટિના કારણે થયેલી જાનમાલની ખુવારીને ધ્યાનમાં રાખીને પૂજ્ય મોરારી બાપુએ તાત્કાલિક સહાય સ્વરૂપે રૂ.5 લાખની સહાય રાશિ અર્પણ કરી છે. આપેલી માહિતી મુજબ આ સહાય રામકથાના ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે.

સૌના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના

અકસ્મિક દુર્ઘટનાઓ અને કુદરતી આફતોમાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી છે. મૃત આત્માઓને શાંતિ મળે અને અસરગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે બાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. આપત્તિ અને અકસ્માતના સમયે સહાય કરવાનો તેમનો આ અભિગમ અગાઉની અનેક ઘટનાઓમાં પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Rajkot: લોધિકા સંઘ ચૂંટણીમાં ઉલટફેર બાદ ભાજપમાં ગરમાવો: અલ્પેશ ઢોલરિયાના બદલાયા સૂર, રૈયાણીએ કહ્યું- પગ વાળીને બેસવાનો નથી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.