Get News Alerts

Never miss breaking news updates.

Surat: BRTS બસમાં અચાનક આગ, ભટાર નવજીવન સર્કલ પાસે અફરાતફરી

Surat: શહેરના ભટાર નવજીવન સર્કલ પાસે BRTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 11:34 AM IST
Surat: BRTS બસમાં અચાનક આગ, ભટાર નવજીવન સર્કલ પાસે અફરાતફરીSurat: BRTS બસમાં અચાનક આગ, ભટાર નવજીવન સર્કલ પાસે અફરાતફરી

Surat

Surat: શહેરના ભટાર નવજીવન સર્કલ પાસે BRTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ SMCના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

બસમાંથી નીકળ્યો ધુમાડો

ભટાર નવજીવન સર્કલ નજીકથી પસાર થઈ રહેલી BRTS બસમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે બસમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ટીમ પહોંચે તે પહેલાં આગ કાબૂમાં

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં SMCના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.

બસને નુકસાન, આગનું કારણ અકબંધ

આગની ઘટનામાં BRTS બસને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. શોર્ટ સર્કિટ સહિતના કારણોની શક્યતા અંગે તપાસ થઈ શકે છે, પરંતુ હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

તંત્ર દ્વારા તપાસ

BRTS બસમાં આગ લાગવાની ઘટનાને પગલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગ કેવી રીતે લાગી અને ઘટનામાં બસને કેટલું નુકસાન થયું તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : Surat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.