Get News Alerts

Never miss breaking news updates.

Ankleshwar: ફરી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, નર્મદા કિનારે બનાવથી ચકચાર

Ankleshwar: અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. ગોલ્ડન બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ નજીક નર્મદા નદીના કિનારેથી બિનવારસી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 06:13 PM IST
Ankleshwar: ફરી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, નર્મદા કિનારે બનાવથી ચકચારAnkleshwar: ફરી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, નર્મદા કિનારે બનાવથી ચકચાર

Ankleshwar

Ankleshwar: અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. ગોલ્ડન બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ નજીક નર્મદા નદીના કિનારેથી બિનવારસી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નર્મદા કિનારે માછીમારોને મૃતદેહ મળ્યો

નર્મદા નદીના કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર નવજાત બાળકીના મૃતદેહ પર પડી હતી. ત્યારબાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ કબજે લીધો છે.

મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ

બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેને નદી કિનારે કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે. બાળકીનો મૃતદેહ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

એક મહિનામાં નવજાત શિશુ સાથે જોડાયેલી અનેક ઘટનાઓ

અંકલેશ્વર-ભરૂચ વિસ્તારમાં અગાઉ પણ નવજાત શિશુ સાથે જોડાયેલી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હોવાનું જણાવાયું છે.

30 જૂન 2026: સંજાલી ખાતેથી બાળ શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.

9 જુલાઈ 2026: હાંસોટના રાયમા ખાડી નજીકથી જીવતું નવજાત શિશુ મળી આવ્યું હતું.

17 જુલાઈ 2026: બોરભાઠા ગામે કચરાના ઢગલામાંથી મૃત શિશુ મળી આવ્યું હતું.

હાલનો બનાવ: અંકલેશ્વરમાં નર્મદા કિનારેથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો છે.

આ ઘટનાઓને પગલે નવજાત બાળકોને ત્યજી દેવાના બનાવો અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, હાલની ઘટનામાં બાળકીના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ અને જવાબદાર વ્યક્તિ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે.

બાળકને ત્યજી દેવાને બદલે કાનૂની વિકલ્પ

અનિચ્છનીય અથવા સંભાળી ન શકાય તેવા બાળકને રસ્તા પર કે બિનવારસી હાલતમાં છોડી દેવું ગંભીર કાયદાકીય બાબત બની શકે છે. આવા કિસ્સામાં સરકારી હોસ્પિટલ, ચાઇલ્ડ વેલફેર કમિટી અથવા અધિકૃત ‘પાલના’ કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે. ત્યજી દેવાયેલા અથવા મુશ્કેલીમાં મુકાયેલા બાળક અંગે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર જાણ કરી શકાય છે.

પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને બાળકીના પરિવાર તથા તેને નદી કિનારે મૂકનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: તાપી નદીમાં મગર દેખાતા તંત્ર એલર્ટ, કોઝવે નજીક વન વિભાગે રેસ્ક્યુ ટીમ તૈનાત કરી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.