Get News Alerts

Never miss breaking news updates.

ઈન્ડોનેશિયાની સંસદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- 'રાષ્ટ્રપતિ પ્રાબોવો સાથેની મારી મિત્રતા બધી કૉપિરાઇટ સીમાઓ પાર

જકાર્તા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન ત્યાંની સંસદને સંબોધિત કરતાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપતી અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે કહ્યું કે ઈન્ડોનેશિયાના લોકો તરફથી મળેલા પ્રેમ અને આત્મીય સ્વાગતને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. સંસદમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા PM મોદીએ જણાવ્યું કે તેઓ 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા અને...
R Gajjar
R GajjarUpdated on: 07 Jul 2026 04:29 PM IST
ઈન્ડોનેશિયાની સંસદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- 'રાષ્ટ્રપતિ પ્રાબોવો સાથેની મારી મિત્રતા બધી કૉપિરાઇટ સીમાઓ પારઈન્ડોનેશિયાની સંસદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- 'રાષ્ટ્રપતિ પ્રાબોવો સાથેની મારી મિત્રતા બધી કૉપિરાઇટ સીમાઓ પાર

જકાર્તા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન ત્યાંની સંસદને સંબોધિત કરતાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપતી અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે કહ્યું કે ઈન્ડોનેશિયાના લોકો તરફથી મળેલા પ્રેમ અને આત્મીય સ્વાગતને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. સંસદમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા PM મોદીએ જણાવ્યું કે તેઓ 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા અને ‘લોકશાહીની જનની’ ભારતના ગર્વિત નાગરિક તરીકે તમામ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યા છે.

‘મિત્રતા પર કોઈ કૉપિરાઇટ હોઈ શકે નહીં’
પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા હળવા અંદાજમાં કહ્યું કે આજે સવારે રાષ્ટ્રપતિ પ્રબોવોએ કૉપિરાઇટ વિશે વાત કરી હતી, પરંતુ પ્રેમ, સ્નેહ, મિત્રતા અને પરસ્પર સન્માન જેવી લાગણીઓ પર કોઈ કૉપિરાઇટ હોઈ શકે નહીં. તેમણે ઉમેર્યું કે, “રાષ્ટ્રપતિ પ્રબોવો સાથેની મારી મિત્રતા કૉપિરાઇટની તમામ સીમાઓથી પણ પર છે.”

સમુદ્ર નહીં, સંબંધોનો પુલ
PM મોદીએ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના ભૌગોલિક અને વ્યૂહાત્મક સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બંને દેશોની રાજધાનીઓ ભલે હજારો કિલોમીટર દૂર હોય, પરંતુ સમુદ્ર બંનેને માત્ર 150 કિલોમીટરના અંતરે જોડે છે. તેમણે કહ્યું કે દુનિયાના ઘણા દેશો માટે સમુદ્ર અંતર અને અવરોધનું પ્રતીક રહ્યો છે, પરંતુ ભારત અને ઈન્ડોનેશિયા માટે સમુદ્ર હંમેશા મિત્રતા, વેપાર અને સંસ્કૃતિને જોડતો પુલ રહ્યો છે.

સ્વતંત્રતા સંઘર્ષની યાદ તાજી કરી
પ્રધાનમંત્રી મોદીએ બંને દેશોના સ્વતંત્રતા આંદોલનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ઈન્ડોનેશિયાને 1945માં અને ભારતને 1947માં આઝાદી મળી હતી. બંને દેશોએ લગભગ એક જ સમયગાળામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈન્ડોનેશિયાના સ્વતંત્રતા આંદોલનને મજબૂત સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે સ્વ. બિજુ પટનાયકની ઐતિહાસિક ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે ઈન્ડોનેશિયાના નેતાઓને સુરક્ષિત રીતે ભારત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંબંધોને મળશે નવી મજબૂતી
વિશ્લેષકોના મત મુજબ PM મોદીનું આ સંબોધન માત્ર રાજદ્વારી ભાષણ નહીં પરંતુ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના લાંબા ગાળાના વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com