સુરતથી નવસારી જતી ટ્રેનમાં અકસ્માતે 19 વર્ષીય યુવકનું મોત



સુરતથી નવસારી જતી ટ્રેનમાં અકસ્માતે 19 વર્ષીય યુવકનું મોત



સુરત: સુરતથી નવસારી જતી ટ્રેનમાં એક દુર્ઘટનામાં 19 વર્ષીય યુવકનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રુદ્ર નામનો 19 વર્ષીય યુવક રોજગાર માટે સુરતથી નવસારી તરફ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી દરમિયાન તે ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં તેનો પગ લપસ્યો હતો અને તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો.
ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




