Get News Alerts

Never miss breaking news updates.

શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીના મોત બાદ પરિવારનો હોબાળો, ડૉક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપ

અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Jun 2026 03:47 PM IST
શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીના મોત બાદ પરિવારનો હોબાળો, ડૉક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપશારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીના મોત બાદ પરિવારનો હોબાળો, ડૉક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપ

અમદાવાદ: શહેરની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં દર્દીના સગાઓ દ્વારા હોસ્પિટલ સામે વિરોધની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૃતક દર્દીને પેટમાં ગેસની સામાન્ય સમસ્યાને કારણે શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ દર્દીની તબિયત સ્થિર હતી અને સામાન્ય સારવાર ચાલી રહી હતી. જોકે, સોમવારે સવારે અચાનક દર્દીના મોતના સમાચાર મળતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલના ડૉક્ટરોએ તેમની કોઈપણ પ્રકારની મંજૂરી અથવા જાણ કર્યા વગર દર્દીનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડી ગઈ અને અંતે તેમનું મોત થયું હોવાનું પરિવારનું કહેવું છે. સગાઓએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારી અને ખોટી સારવારના ગંભીર આક્ષેપો કર્યા છે.

પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીના મૃત્યુ અંગે હોસ્પિટલ તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા સ્વજનોએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.

આ ઘટનાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને સારવારની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હવે હોસ્પિટલ તંત્ર અને સંબંધિત અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.