રાજકોટ રૂડા કચેરીએ આવાસ ફાળવણી વિવાદે ભભૂકી ઉઠ્યો વિરોધ, પરિશ્રમ ટાઉનશિપના 200થી વધુ લોકોની રજૂઆત



રાજકોટ રૂડા કચેરીએ આવાસ ફાળવણી વિવાદે ભભૂકી ઉઠ્યો વિરોધ, પરિશ્રમ ટાઉનશિપના 200થી વધુ લોકોની રજૂઆત



રાજકોટ રાજકોટમાં રૂડા કચેરી સામે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરિશ્રમ ટાઉનશિપના અંદાજે 200 જેટલા રહેવાસીઓ પોતાની રજૂઆત કરવા માટે રૂડા કચેરીએ પહોંચ્યા હતા.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, જેમને ઘરની ખરેખર જરૂર નથી એવા લોકોને રૂડા દ્વારા આવાસ ફાળવવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આવા લોકો એસોસિયેશન સાથે સતત માથાકૂટ કરતા રહે છે, જેના કારણે સોસાયટીમાં તણાવનું વાતાવરણ ઉભું થયું છે.
વિરોધ દરમિયાન એસોસિયેશનના હોદ્દેદારો સાથે સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રૂડા કચેરીએ પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોએ માંગ કરી છે કે આવાસ ફાળવણીની પ્રક્રિયાની ફરીથી તપાસ કરવામાં આવે અને યોગ્ય લોકોને જ આવાસ આપવામાં આવે.




