Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં પિઝા પ્રેમીઓ માટે ચેતવણી! જાણીતા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગનો દરોડો

રાજકોટમાં ફાસ્ટફૂડ પ્રેમીઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી જાણીતી પિઝા પાર્લર PAPA'S LOUIE'S PIZZAમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી મોટી બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ફૂગ લાગેલી, એક્સપાયર થયેલી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ પિઝા, પાસ્તા અને અન્ય ફાસ્ટફૂડ બનાવવામાં થતો હોવાનું સામે આવતાં ખાદ્ય સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હવે જોઈએ આ અહેવાલ...
Rahul Desai
Rahul DesaiUpdated on: 15 Jun 2026 04:39 PM IST
રાજકોટમાં પિઝા પ્રેમીઓ માટે ચેતવણી! જાણીતા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગનો દરોડોરાજકોટમાં પિઝા પ્રેમીઓ માટે ચેતવણી! જાણીતા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગનો દરોડો

રાજકોટ: જો તમે પિઝા, પાસ્તા અને ફાસ્ટફૂડના શોખીન હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રાજકોટના રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી PAPA'S LOUIE'S PIZZA પાર્લરમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન લોકો આરોગી ન શકે તેવી અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પિઝા ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ ખરાબ હાલતમાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

તપાસ દરમિયાન ફૂગ લાગેલા ગ્રીન ઓલિવ, અમેરિકન કોર્ન સહિતની અનેક ખાદ્ય વસ્તુઓ અખાદ્ય હાલતમાં મળી આવી હતી. એટલું જ નહીં, પિઝા, પાસ્તા અને નુડલ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સામગ્રીની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આવી અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ, પેટના ચેપ, આંતરડાના રોગો તેમજ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આરોગ્ય વિભાગે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ખાદ્ય સુરક્ષા ધોરણોના ભંગ બદલ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.