Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ-જેતપુર હાઈવે પર 70%થી વધુ બ્રિજનું કામ પૂર્ણ, ચોમાસામાં ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા તૈયાર

રાજકોટ-જેતપુર હાઇવે અંગે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં હાઇવે પર અંદાજે 25 જેટલા બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે,
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 02:56 PM IST
રાજકોટ-જેતપુર હાઈવે પર 70%થી વધુ બ્રિજનું કામ પૂર્ણ, ચોમાસામાં ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા તૈયારરાજકોટ-જેતપુર હાઈવે પર 70%થી વધુ બ્રિજનું કામ પૂર્ણ, ચોમાસામાં ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા તૈયાર

AI Image

રાજકોટ: રાજકોટ-જેતપુર હાઇવે અંગે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં હાઇવે પર અંદાજે 25 જેટલા બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે 70 ટકા કરતાં વધુ બ્રિજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.

ચોમાસા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન પોઈન્ટ પર ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે, તેવી પણ માહિતી આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સતત સંકલન કરીને બાકી રહેલા બ્રિજના કામને ઝડપી પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બ્રિજ નિર્માણની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ બ્રિજનું કામ હવે અન્ય એજન્સીને સોંપવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે, જેથી કામમાં વધુ ઝડપ આવી શકે.

જિલ્લા તંત્રએ આશા વ્યક્ત કરી છે કે તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થતાં હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.