રાજકોટમાં ડિમોલિશન એક્શન! 70 ઝૂંપડાંને ખાલી કરવાની નોટિસ, રહેવાસીઓમાં રોષ



રાજકોટમાં ડિમોલિશન એક્શન! 70 ઝૂંપડાંને ખાલી કરવાની નોટિસ, રહેવાસીઓમાં રોષ



રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશન કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમીન માર્ગ વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના વિજીલન્સ વિભાગની હાજરીમાં સરકારી પ્લોટનું સીમાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનના હિંગળાજનગર વિસ્તારમાં લાંબા સમયથી ઉભેલા આશરે 70 જેટલા ઝૂંપડાં ખાલી કરવા માટે રહેવાસીઓને 15 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે.
બીજી તરફ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અચાનક મળેલી નોટિસને કારણે ગરીબ પરિવારોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
ચોમાસું નજીક હોવાથી રહેવાસીઓએ માંગ કરી છે કે તંત્ર ડિમોલિશનની કાર્યવાહી ચોમાસા બાદ કરે અથવા અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે.




