રાજકોટ મનપા એક્શનમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોને નોટિસ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરમાં જર્જરિત અને જોખમી મકાનોને લઈને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે અત્યંત ભયજનક બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની તંત્રે તૈયારી દર્શાવી છે.

Rahul DesaiUpdated on: 09 Jun 2026 03:36 PM IST


રાજકોટ મનપા એક્શનમાં: ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોને નોટિસ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરમાં જર્જરિત અને જોખમી મકાનોને લઈને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે અત્યંત ભયજનક બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની તંત્રે તૈયારી દર્શાવી છે.

Rahul Desai
Updated on: 09 Jun 2026 03:36 PM IST


રાજકોટ: ચોમાસા પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જર્જરિત અને જોખમી મકાનોને લઈને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં જોખમી બાંધકામો ધરાવતા મકાન માલિકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યંત ભયજનક અને ખતરનાક સ્થિતિમાં આવેલા મકાનો અંગે કડક પગલાં લેવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી છે.
મનપા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવા જોખમી મકાનોને જરૂરી પડે તો કોર્પોરેશન જાતે જ પાડી નાખશે. માલિકી કોઈપણ હોય, જો બાંધકામ જોખમી હશે તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તંત્ર મુજબ, નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે પ્રી-મોન્સૂન પ્રક્રિયા અંતર્ગત આ પગલાં લેવામાં આવી રહ્યા છે અને શક્ય નુકસાન ટાળવા માટે નોટિસ આપવામાં આવી છે.
AUTHOR




