Get News Alerts

Never miss breaking news updates.

Asian Games: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો બહાર

Asian Games: ભારતીય ટીમે એશિયન ગેમ્સ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. વરુણ ચક્રવર્તીને ટીમમાંથી ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો છે. વિપરાજ નિગમને તેના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે.
Nancy ShuklaUpdated on: 16 Sep 2026 03:32 PM IST
Asian Games: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો બહારAsian Games: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો બહાર

Asian Games

Asian Games: ભારતીય ટીમે એશિયન ગેમ્સ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. વરુણ ચક્રવર્તીને ટીમમાંથી ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો છે. વિપરાજ નિગમને તેના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે.એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા કરવામાં આવી હતી, પરંતુ હવે અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન T20 સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા જાપાન જશે, જ્યાં તેઓ સીધા ક્વાર્ટર ફાઈનલમાં ભાગ લેશે. આ દરમિયાન વરુણ ચક્રવર્તીને ટીમમાંથી ઈજાના કારણે બહાર કરવામાં આવ્યો છે , તેના સ્થાને વિપરાજ નિગમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાકીની ટીમ હાલ માટે એ જ રહેશે.

વરુણ ચક્રવર્તીની ઈજાને કારણે વિપરાજ નિગમને તક મળી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં 3 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ પહેલી બે મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવ્યો છે. આ દરમિયાન સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી પહેલી મેચ દરમિયાન ઘાયલ થયો હતો, અને તેથી તે વર્તમાન સિરીઝમાંથી બહાર છે. તે માત્ર સિરીઝમાંથી જ બહાર નથી, પરંતુ તેને એશિયન ગેમ્સની ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે તે લાંબા સમય સુધી ક્રિકેટથી બહાર રહેશે. રસપ્રદ વાત એ છે કે વરુણ લગભગ 2 મહિના પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, સ્વસ્થ થયો હતો અને પાછો ફર્યો હતો, પરંતુ 1 મેચમાં માત્ર 4 ઓવર બોલિંગ કર્યા પછી તે ફરીથી બહાર છે.

વિપરાજ નિગમ IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે

આ દરમિયાન વરુણ ચક્રવર્તીની જગ્યાએ વિપરાજ નિગમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલી વખત છે જ્યારે તેને ટીમમાં તક મળી છે. પરંતુ તેને રમવા માટે તક મળશે કે નહીં તે જોવાનું રહેશે. વિપરાજ નિગમ IPLમાં રમે છે અને ત્યાં તેને સારું પ્રદર્શન કર્યું છે. 2025માં તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા સાઈન કરવામાં આવ્યો હતો. તેને 14 મેચ રમી હતી, જેમાં 11 વિકેટ લીધી હતી. ત્યારબાદ 2026માં તેને ફક્ત 5 મેચ રમી હતી, જેમાં તેને 2 સફળતા મળી હતી. વિપરાજ નિગમની સમસ્યા એ છે કે દિલ્હી પાસે પહેલાથી જ કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા સ્પિન બોલર્સ છે, તેથી તેને પ્લેઈંગ ઈલેવનમાં વધુ તક મળતી નથી. અત્યાર સુધી વિપરાજ IPLમાં 19 મેચ રમી ચૂક્યો છે અને 157 રન બનાવ્યા છે.

એશિયન ગેમ્સ 2026 માટે ભારતની ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સુર્યવંશી, યશ ઠાકુર, વિપરાજ નિગમ.

આ પણ વાંચો: IPL 2027 Auction: ખેલાડીઓના ઓક્શનને લઈને સામે આવ્યું મોટું અપડેટ, જાણો ડિટેલ્સ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.