Get News Alerts

Never miss breaking news updates.

ForestFire: અલ્જીરિયાના જંગલોમાં ભીષણ આગનો કહેર, 12નાં મોત; ગૃહમંત્રીએ રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરી

ForestFire: અલ્જીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભીષણ જંગલની આગે ભારે તબાહી મચાવી છે. આગની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધી 12 લોકોનાં મોત થયાની સત્તાવાર માહિતી સામે આવી છે.
Nisha ParmarUpdated on: 27 Aug 2026 03:22 PM IST
ForestFire: અલ્જીરિયાના જંગલોમાં ભીષણ આગનો કહેર, 12નાં મોત; ગૃહમંત્રીએ રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરીForestFire: અલ્જીરિયાના જંગલોમાં ભીષણ આગનો કહેર, 12નાં મોત; ગૃહમંત્રીએ રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરી

ForestFire: અલ્જીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભીષણ જંગલની આગે ભારે તબાહી મચાવી છે. આગની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધી 12 લોકોનાં મોત થયાની સત્તાવાર માહિતી સામે આવી છે. અનેક લોકો આગ અને ધુમાડાથી પ્રભાવિત થયા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

3 પ્રાંતોમાં 12નાં મોત

અલ્જીરિયાના ગૃહમંત્રી સઈદ સયૂદે જણાવ્યું કે મૃતકોમાં જિજેલ પ્રાંતમાં 5, બેજાયામાં 4 અને તિજી ઓઉઝોઉમાં 3 લોકોનો સમાવેશ થાય છે. આગના કારણે અનેક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

ગૃહમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ અબ્દેલમજીદ તેબ્બૌનેના નિર્દેશ બાદ ગૃહમંત્રી સઈદ સયૂદે ગુરુવારે બેજાયા અને જિજેલ પ્રાંતોની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય મંત્રી મોહમ્મદ સદ્દીક એત મેસાઉદેન સાથે રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃહમંત્રીએ બેજાયાના સૌક એલ થેનાઈન શહેરની હોસ્પિટલની મુલાકાત લઈને આગમાં દાઝેલા અને ધુમાડાથી અસરગ્રસ્ત લોકોની સારવાર અંગે માહિતી મેળવી હતી.

એક જ દિવસમાં 159 આગની ઘટનાઓ

અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે સમગ્ર દેશમાં 159 સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. એકલા બેજાયા પ્રાંતમાં જ 36 આગ લાગી હતી. તેમાંથી 18 આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 18 સ્થળોએ આગ હજુ પણ સક્રિય હોવાનું જણાવાયું છે.

અનેક પ્રાંતોમાં આગ પર કાબૂ

અધિકારીઓએ જણાવ્યું કે સ્કિક્દા, એલ તારફ, બુઇરા, તિજી ઓઉઝોઉ અને તેબેસ્સા પ્રાંતોમાં લાગેલી આગને નિયંત્રણમાં લેવામાં આવી છે. બીજી તરફ પડોશી જિજેલ પ્રાંતની 12 નગરપાલિકાઓમાં આગ સામે કામગીરી હજુ ચાલુ છે.

હીટવેવથી આગનું જોખમ વધ્યું

જંગલની આગ વચ્ચે અલ્જીરિયા અને પડોશી ટ્યુનિશિયામાં ભારે હીટવેવ ચાલી રહી છે. ઊંચા તાપમાનને કારણે આગ ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે. ભૂમધ્ય સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં ઉનાળા દરમિયાન જંગલની આગનું જોખમ સામાન્ય રીતે વધારે રહે છે.

સૂકો, ગરમ અને પવનયુક્ત માહોલ પડકારરૂપ

તાજેતરના વર્ષોમાં વધતી ગરમી, દુષ્કાળ અને તેજ પવનને કારણે અલ્જીરિયામાં જંગલની આગનું જોખમ વધુ ગંભીર બન્યું છે. હાલ વહીવટી તંત્ર દ્વારા આગને કાબૂમાં લેવા, અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઘાયલોને સારવાર આપવાની કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : US Visa: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર ટ્રમ્પ સરકારનો મોટો એક્શન! 2 લાખથી વધુ વિઝા રદ થવાની શક્યતા

AUTHOR
N

Nisha Parmar

Author details are not available.