Ethanol Petrol ભેળવવાથી માઇલેજ ઘટશે? Hero MotoCorpએ આપ્યો જવાબ, જાણો બાઇક ચાલકોની ચિંતા કેટલી સાચી



Ethanol Petrol
Ethanol Petrol ભેળવવાથી માઇલેજ ઘટશે? Hero MotoCorpએ આપ્યો જવાબ, જાણો બાઇક ચાલકોની ચિંતા કેટલી સાચી



Ethanol Petrol
Ethanol Petrol બ્લેન્ડિંગને લઈને દેશમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને E20 પેટ્રોલ આવ્યા બાદ ઘણા વાહનચાલકોનો દાવો છે કે ગાડીનું માઇલેજ ઘટ્યું છે. જૂના ટુ-વ્હીલર વાહનોના કેટલાક માલિકોએ માઇલેજમાં ઘટાડો થવાની સાથે એન્જિન સંબંધિત સમસ્યાઓની ફરિયાદ પણ કરી છે. જોકે, સરકાર અને ઓટોમોબાઇલ કંપનીઓનું કહેવું છે કે નિર્ધારિત ધોરણો અનુસાર એથનોલનો ઉપયોગ વાહનો માટે સુરક્ષિત છે. હવે દેશની મોટી ટુ-વ્હીલર કંપનીઓમાંની એક Hero MotoCorpએ એથનોલ અને બાઇકના માઇલેજને લઈને મહત્વપૂર્ણ વાત કહી છે.
શું Ethanolથી માઇલેજ ઘટે છે?
Hero MotoCorpના ચીફ બિઝનેસ ઓફિસર-ઇન્ડિયા આશુતોષ વર્માના જણાવ્યા અનુસાર, એથનોલની કેલોરિફિક વેલ્યુ એટલે કે ઊર્જા આપવાની ક્ષમતા પેટ્રોલ કરતાં ઓછી હોય છે. તેથી પેટ્રોલમાં એથનોલનું પ્રમાણ વધે ત્યારે માઇલેજમાં કેટલીક અસર થવાની શક્યતા રહે છે. જોકે, ઓટોમોબાઇલ કંપનીઓ વાહનોની ટેક્નોલોજી અને ફ્યુઅલ એફિશિયન્સીમાં સતત સુધારા કરી રહી છે, જેથી આ તફાવતને ઘટાડવામાં મદદ મળી શકે.
Hero MotoCorpએ Ethanol Blendingને આપ્યું સમર્થન
Hero MotoCorpએ સરકારના એથનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને સમર્થન આપ્યું છે. કંપનીનું માનવું છે કે એથનોલ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ દેશની ઊર્જા જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. કંપનીના મતે ભવિષ્યમાં વાહનોની ટેક્નોલોજીમાં થઈ રહેલા સુધારાઓને કારણે એથનોલના કારણે માઇલેજ પર પડતી અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
બાઇકમાં આવી રહી છે નવી ટેક્નોલોજી
વાહનોની ફ્યુઅલ એફિશિયન્સી વધારવા માટે કંપનીઓ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેમાં Idle Stop-Start System પણ સામેલ છે. ટ્રાફિકમાં બાઇક અથવા સ્કૂટર થોડા સમય માટે ઊભું રહે ત્યારે એન્જિન આપમેળે બંધ થઈ શકે છે અને વાહન ફરી ચલાવતા એન્જિન ચાલુ થઈ જાય છે. આ ટેક્નોલોજી બિનજરૂરી ઇંધણનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે.
Low-Rolling Resistance ટાયરનો પણ ઉપયોગ
કંપનીઓ હવે Low-Rolling Resistance Tyres પર પણ ધ્યાન આપી રહી છે. આવા ટાયર રસ્તા પર ઓછો રેઝિસ્ટન્સ પેદા કરે છે. પરિણામે વાહનને આગળ વધારવા માટે ઓછી ઊર્જાની જરૂર પડી શકે છે અને તેની ફ્યુઅલ એફિશિયન્સીમાં સુધારો થઈ શકે છે.
2026માં ટુ-વ્હીલર માર્કેટ કેવું રહેશે?
Hero MotoCorpએ એથનોલ ઉપરાંત ટુ-વ્હીલર માર્કેટની બીજી મુશ્કેલીઓ અંગે પણ વાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાહકોની માંગમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. કોરોના મહામારી બાદ બજારમાં અનેક વખત એવી સ્થિતિ સર્જાઈ કે કંપનીઓ માટે ભવિષ્યની માંગનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો.
કંપનીનું માનવું છે કે 2026માં ટુ-વ્હીલર ઉદ્યોગ માટે બજારનું વાતાવરણ સારુ છે. જોકે, કંપનીઓ સામે સૌથી મોટો પડકાર એ છે કે ભવિષ્યમાં ગ્રાહકોની પસંદગી અને માંગ કઈ દિશામાં બદલાશે તે સમજવું. આ આધારે જ કંપનીઓએ ઉત્પાદન, રોકાણ અને નવી ટેક્નોલોજી અંગેના નિર્ણયો લેવા પડશે. એથનોલની ઊર્જા ક્ષમતા પેટ્રોલ કરતાં ઓછી હોવાથી માઇલેજ પર થોડી અસર શક્ય છે, પરંતુ નવી વાહન ટેક્નોલોજી અને વધુ સારી ફ્યુઅલ એફિશિયન્સી દ્વારા આ અસરને ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.




