Get News Alerts

Never miss breaking news updates.

Maharashtra Railway Project : મુકુટબન-ગડચાંદૂર વચ્ચે નવી રેલવે લાઈનને મંજૂરી, રૂપિયા 493 કરોડનો કરાશે ખર્ચ

Maharashtra Railway Project : ભારતીય રેલવેએ મહારાષ્ટ્રમાં મુકુટબન (આદિલાબાદ)થી ગડચાંદૂર વચ્ચે 38.21 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹493 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 05:38 PM IST
Maharashtra Railway Project : મુકુટબન-ગડચાંદૂર વચ્ચે નવી રેલવે લાઈનને મંજૂરી, રૂપિયા 493 કરોડનો કરાશે ખર્ચMaharashtra Railway Project : મુકુટબન-ગડચાંદૂર વચ્ચે નવી રેલવે લાઈનને મંજૂરી, રૂપિયા 493 કરોડનો કરાશે ખર્ચ

Maharashtra Railway Project

Maharashtra Railway Project : ભારતીય રેલવેએ મહારાષ્ટ્રમાં મુકુટબન (આદિલાબાદ)થી ગડચાંદૂર વચ્ચે 38.21 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹493 કરોડનો ખર્ચ કરવામાં આવશે. નવી રેલવે લાઈન સાઉથ સેન્ટ્રલ રેલવે હેઠળ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી યવતમાળ અને ચંદ્રપુરના ઔદ્યોગિક તથા ખનન વિસ્તારોને સીધી અને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળવાની અપેક્ષા છે.

મુકુટબન અને ગડચાંદૂર બંને મહત્વપૂર્ણ ઔદ્યોગિક તથા ખનન કેન્દ્રો છે. આ વિસ્તારમાં અનેક સિમેન્ટ પ્લાન્ટ, વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની કોલસાની ખાણો તેમજ ચૂનાના પથ્થરની ખાણો આવેલી છે. નવી રેલવે લાઈન બન્યા બાદ અહીંથી કોલસો, સિમેન્ટ અને અન્ય ઔદ્યોગિક સામગ્રીનું પરિવહન વધુ સરળ બનશે.

માલ પરિવહનમાં સમય અને ખર્ચ ઘટશે

નવી લાઈન હાલના રેલવે નેટવર્કની સરખામણીએ ટૂંકો અને વધુ અસરકારક માર્ગ પૂરો પાડશે. પરિણામે માલ પરિવહનનું અંતર અને સમય ઘટવાની સાથે પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. આ લાઈન વર્ધા-માણિકગઢ રેલવે સેક્શન માટે વૈકલ્પિક રૂટ તરીકે પણ કામ કરશે, જેના કારણે માલગાડીઓની અવરજવર સરળ બની શકે છે.

રોજ બે MEMU ટ્રેન દોડાવવાની યોજના

નવી લાઈન શરૂ થયા બાદ દર વર્ષે આશરે 6.08 મિલિયન ટન માલ પરિવહન થવાનો અંદાજ છે. ઉપરાંત, બંને દિશામાં દરરોજ બે-બે MEMU ટ્રેન દોડાવવાની યોજના છે. આ રેલવે માર્ગથી કોલસા અને કોક, સિમેન્ટ, સ્પોન્જ આયર્ન, મેટલ સ્ક્રેપ, લોખંડ-સ્ટીલ, ખાતર અને અનાજ સહિતના માલનું પરિવહન થશે. નવી લાઈનથી કોલસા અને સિમેન્ટ ક્લસ્ટરને મજરી-નાંદેડ રેલવે રૂટ સાથે સીધું જોડાણ મળશે. સાથે જ બલ્હારશાહ-નાગપુર હાઈ ડેન્સિટી નેટવર્ક પરની નિર્ભરતા પણ ઘટશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી યવતમાળ-ચંદ્રપુર વિસ્તારમાં ઔદ્યોગિક, ખનન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Gurugram Hit and Run Case : બંને આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.