Get News Alerts

Never miss breaking news updates.

Greater Paris માં ગુંજ્યું ‘નમસ્તે’ : બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભારતીય સંસ્કૃતિનું ભવ્ય શિલ્પ અનાવરણ

Greater Paris: ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું અનોખું પ્રતીક એવા ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 11:36 AM IST
Greater Paris માં ગુંજ્યું ‘નમસ્તે’ : બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભારતીય સંસ્કૃતિનું ભવ્ય શિલ્પ અનાવરણGreater Paris માં ગુંજ્યું ‘નમસ્તે’ : બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભારતીય સંસ્કૃતિનું ભવ્ય શિલ્પ અનાવરણ

Greater Paris

Greater Paris: ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું અનોખું પ્રતીક એવા ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ શહેરના મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

‘નમસ્તે’ શિલ્પ આપશે સૌને ઉષ્માભર્યું સ્વાગત

શિલ્પમાં ભારતીય પરંપરાની જાણીતી ‘નમસ્તે’ મુદ્રામાં જોડાયેલા હાથ દર્શાવવામાં આવ્યા છે. નમસ્તે ભારતીય સંસ્કૃતિમાં સ્વાગત, સન્માન અને નમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગોમાંથી એક પર આ શિલ્પ સ્થાપિત કરવામાં આવ્યું હોવાથી, બુસી-સેંટ-જ્યોર્જેસમાં આવતા દરેક વ્યક્તિનું ઉષ્માભર્યું સ્વાગત કરવાનો સંદેશ આપે છે.

બે સંસ્કૃતિઓ વચ્ચે મિત્રતાનું પ્રતીક

મેયર યાન ડુબોસ્કે જણાવ્યું કે જોડાયેલા હાથ માત્ર શાંતિ અને કરુણાનું પ્રતીક નથી, પરંતુ ભારત અને ફ્રાન્સની બે સંસ્કૃતિઓ, પરંપરાઓ અને સભ્યતાઓના સંગમનું પણ પ્રતીક છે. તેમણે કહ્યું કે બંનેની પોતાની આગવી ઓળખ હોવા છતાં સહકાર, બંધુત્વ અને એકતાયુક્ત માનવતાની ભાવના બંનેને એકબીજાના પૂરક બનાવે છે. મેયરે બુસી-સેંટ-જ્યોર્જેસની વિવિધતાને પણ ઉજાગર કરતાં જણાવ્યું કે અહીં અલગ-અલગ સમુદાયોની સંસ્કૃતિઓ અને પરંપરાઓ એકબીજા સાથે હળીમળી જાય છે.

શહેરના સાંસ્કૃતિક પ્રતીકોમાં નવો ઉમેરો

‘નમસ્તે’ શિલ્પ શહેરમાં વિવિધ સંસ્કૃતિઓના વારસાને દર્શાવતા અનેક પ્રતીકોની પરંપરામાં નવો ઉમેરો છે. શહેરમાં શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપતું ત્રણ મસ્તકવાળું હાથીનું શિલ્પ, કંબોડિયન વારસાને પ્રતિબિંબિત કરતું બાયોન શિલ્પ અને વિયેતનામી શરણાર્થીઓની યાદમાં બનાવાયેલ ‘લે રેવ દ લા મેર’ જેવા સાંસ્કૃતિક પ્રતીકો પણ છે.

BAPS મંદિરના લોકાર્પણ પૂર્વે 13 દિવસીય મહોત્સવ

બુસી-સેંટ-જ્યોર્જેસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત રીતે રચાયેલા હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’નું આયોજન થવાનું છે. આ સમગ્ર આયોજન ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ફ્રાન્સ સાથેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવનાર બની રહેશે.

ભારતીય વારસો અને ફ્રાન્સના મૂલ્યો વચ્ચે સેતુ

ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમારે ‘નમસ્તે’ શિલ્પને ભારતીય સભ્યતા અને વારસાનું પ્રતીક ગણાવ્યું. તેમના જણાવ્યા મુજબ આ શિલ્પ ફ્રાન્સના સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા ચિરંજીવ આદર્શોનું પણ સાક્ષી છે. તેમણે ખાસ કરીને ભારતીય સમુદાય પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને ફ્રેન્ચ સમાજમાં સુંદર રીતે એકરૂપ થયો છે તે બાબતને રેખાંકિત કરી.

આનંદસ્વરૂપદાસ સ્વામીએ નમસ્તે સાથે જોડાયેલા નમ્રતાના મૂલ્યને સમજાવતા કહ્યું કે નમ્રતા આપણને અન્ય પાસેથી શીખવા, અન્યનો આદર કરવા અને અન્યની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું કે આ ભારતીય મૂલ્યો ફ્રાન્સના શિષ્ટાચાર, કાળજી, ગૌરવ, સન્માન અને માનવીય બંધુત્વ જેવા મૂલ્યો સાથે સુંદર સાંસ્કૃતિક સેતુ બનાવે છે.

આ પણ વાંચો : Uttar Pradesh: આઉટસોર્સ કર્મચારીઓને મોટી ભેટ! CM યોગી આજે કરશે ‘આઉટસોર્સ સેવા નિગમ’નો શુભારંભ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.