Get News Alerts

Never miss breaking news updates.

Kajari Teej 2026: ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ, શિવ-પાર્વતીની કૃપાની કરી પ્રાર્થના

Kajari Teej 2026: કજરી તીજના પાવન પર્વ નિમિત્તે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના અનેક નેતાઓએ દેશવાસીઓ, ખાસ કરીને માતાઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 31 Aug 2026 12:05 PM IST
Kajari Teej 2026:  ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ, શિવ-પાર્વતીની કૃપાની કરી પ્રાર્થનાKajari Teej 2026:  ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ, શિવ-પાર્વતીની કૃપાની કરી પ્રાર્થના

Kajari Teej 2026

Kajari Teej 2026: કજરી તીજના પાવન પર્વ નિમિત્તે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના અનેક નેતાઓએ દેશવાસીઓ, ખાસ કરીને માતાઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કજરી તીજનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

ભાદરવા વદ ત્રીજ એટલે કજરી તીજ. આ પર્વ ખાસ કરીને માતા પાર્વતી અને ભગવાન શિવની ઉપાસના સાથે જોડાયેલું છે. પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે વ્રત અને પૂજા કરે છે. આ પર્વ લોકપરંપરા અને ભારતીય સંસ્કૃતિ સાથે પણ ઊંડે જોડાયેલો છે.

ઓમ બિરલાએ પાઠવી શુભેચ્છા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કજરી તીજ પર દેશવાસીઓ તથા ખાસ કરીને માતાઓ-બહેનોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ તહેવાર પરિવારની ખુશી, સુખ-સમૃદ્ધિ અને લોકસંસ્કૃતિનું સુંદર પ્રતીક છે.

બિરલાએ પોતાના સંસદીય મતવિસ્તારના બૂંદી જિલ્લામાં કજરી તીજના વિશેષ મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. બૂંદીમાં યોજાતો પરંપરાગત મેળો રાજસ્થાનની લોકકલા, સંસ્કૃતિ અને જીવંત વારસાની ઝલક દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીઓએ પણ શુભકામનાઓ પાઠવી

કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ માતા ગૌરીની કૃપાથી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી શુભેચ્છા પાઠવી.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ કજરી તીજને સૌભાગ્ય અને સુહાગ સાથે જોડાયેલું પાવન પર્વ ગણાવી માતાઓ-બહેનોને શુભકામનાઓ આપી.

ભાજપના નેતાઓએ પણ પાઠવી શુભેચ્છા

ભાજપ નેતા તરુણ ચુઘે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી સૌનું જીવન સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરપૂર રહે તેવી મંગલકામના કરી હતી.

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ પણ કજરી તીજને માતાઓ-બહેનોની અખંડ આસ્થા અને સૌભાગ્યનું પ્રતીક ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પર્વમાં જોવા મળે છે ભક્તિ અને પરંપરાનો સંગમ

કજરી તીજ દરમિયાન મહિલાઓ વ્રત, પૂજા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. અનેક સ્થળોએ લોકગીતો, મેળા અને પરંપરાગત કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. આ રીતે કજરી તીજ ધાર્મિક આસ્થા સાથે ભારતીય લોકસંસ્કૃતિને પણ જીવંત રાખતું પર્વ બની રહે છે.

આ પણ વાંચો : Swaminarayan Temple: પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, હિન્દુ મંદિરના લોકાર્પણનો માર્ગ મોકળો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.