Get News Alerts

Never miss breaking news updates.

Dabhoi : કરનાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે વહેલી સવારથી ભકતો લાઈનમાં ઉભા રહ્યાં

Dabhoi : વડોદરા જિલ્લાના કરનાળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસ નિમિતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 11:06 AM IST
Dabhoi : કરનાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે વહેલી સવારથી ભકતો લાઈનમાં ઉભા રહ્યાંDabhoi : કરનાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે વહેલી સવારથી ભકતો લાઈનમાં ઉભા રહ્યાં

Dabhoi karnali temple

Dabhoi : કુબેરદાદાના દર્શનનું અમાસના દિવસે વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવતું હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરનાળી પહોંચ્યા હતા. દર્શ પિથોરી અમાસને લઈને મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

કુબેરદાદાના દર્શન કરવા માટે ભક્તોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડ્યું હતું. કેટલાક સ્થળોએ દર્શન માટે આશરે પાંચ કલાક જેટલી લાંબી કતારો જોવા મળી હતી.

શ્રાવણના અંતિમ દિવસે કુબેરદાદાના દર્શન માટે માનવ મહેરામણ

ગત રાત્રે 12 વાગ્યે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કુબેરદાદાના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ ભક્તોએ ભગવાન કુબેરના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. મધરાતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

કુબેર ભંડારી ધામની વિશેષતા એ છે કે અહીં માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન માટે આવતા હોય છે. અમાસના પવિત્ર દિવસે કુબેરદાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરનાળી પહોંચતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભક્તોને સરળતાથી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તેમજ લાંબી કતારોમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરમાં જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.

મધરાતે ખુલ્યા કુબેરદાદાના કપાટ

શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસ હોવાથી આ દિવસનું ધાર્મિક મહત્વ વધુ વિશેષ માનવામાં આવે છે. કુબેરદાદાના દર્શન માટે સવારથી જ ભક્તોની સંખ્યા સતત વધતી જોવા મળી હતી. મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં ભક્તોની અવરજવરથી ભારે ચહલપહલ જોવા મળી હતી. આવતીકાલથી ભાદરવા માસનો પ્રારંભ થવાનો છે, ત્યારે શ્રાવણના અંતિમ દિવસે કુબેર ભંડારી ધામમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરીને શ્રાવણ માસને વિદાય આપી હતી.

દર વર્ષે અમાસના દિવસે કુબેર ભંડારીના દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતાં હોવાની માન્યતા છે. આ વર્ષે પણ ભારે ભીડ વચ્ચે ભક્તિ અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. કુબેરદાદાના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ લાંબી કતારોમાં ઉભા રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. કરનાળી ધામમાં અમાસનો આ દિવસ ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના વિશાળ સંગમ તરીકે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Surat BRTS માં બેદરકારી બદલ પાલિકાની લાલ આંખ, 3 એજન્સીને કરોડોની નોટિસ ફટકારાઈ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.