Get News Alerts

Never miss breaking news updates.

Gujarat 108 ambulance: આદિજાતિ વિસ્તારોમાં હવે 10 મિનિટમાં પહોંચશે 108 એમ્બ્યુલન્સ, 89 નવી એમ્બ્યુલન્સ ઉમેરાશે

Gujarat 108 ambulance: ગુજરાતના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી આરોગ્ય સેવાઓ વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 19 Sep 2026 04:49 PM IST
Gujarat 108 ambulance: આદિજાતિ વિસ્તારોમાં હવે 10 મિનિટમાં પહોંચશે 108 એમ્બ્યુલન્સ, 89 નવી એમ્બ્યુલન્સ ઉમેરાશેGujarat 108 ambulance: આદિજાતિ વિસ્તારોમાં હવે 10 મિનિટમાં પહોંચશે 108 એમ્બ્યુલન્સ, 89 નવી એમ્બ્યુલન્સ ઉમેરાશે

Gujarat 108 ambulance

Gujarat 108 ambulance: ગુજરાતના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી આરોગ્ય સેવાઓ વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ટૂંક સમયમાં 89 નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય આ વિસ્તારોમાં હાલના સરેરાશ 18 મિનિટ 32 સેકન્ડના રિસ્પોન્સ ટાઈમને ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનો છે.

553થી વધીને 642 થશે એમ્બ્યુલન્સની સંખ્યા

નવી એમ્બ્યુલન્સો કાર્યરત થયા બાદ પસંદ કરાયેલા આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સની સંખ્યા 553થી વધીને 642 થશે. ભૌગોલિક રીતે પડકારજનક વિસ્તારોમાં ઇમરજન્સી સમયે દર્દી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે આ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

આદિજાતિ વિસ્તારોમાં હાલ 18.32 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ

આપેલી માહિતી મુજબ, સમગ્ર ગુજરાતમાં 108 સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ લગભગ 13 મિનિટ 9 સેકન્ડ છે. શહેરી વિસ્તારોમાં તે આશરે 9 મિનિટ 55 સેકન્ડ અને ગ્રામ્ય વિસ્તારોમાં 16 મિનિટ 28 સેકન્ડ છે. જ્યારે આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ 32 સેકન્ડ છે.

22 ALS, 55 BLS અને 12 ખાસ 4WD એમ્બ્યુલન્સ

89 નવી એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓ માટે 22 Advanced Life Support (ALS) એમ્બ્યુલન્સ, ઇમરજન્સી પરિવહન માટે 55 Basic Life Support (BLS) એમ્બ્યુલન્સ અને મુશ્કેલ રસ્તા તથા પૂરપ્રવણ વિસ્તારો માટે 12 Four-Wheel-Drive (4WD) એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે.

ભારે વરસાદ અને પૂર વખતે 4WD એમ્બ્યુલન્સ બનશે ઉપયોગી

આદિજાતિ વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર, કાચા રસ્તા અને મુશ્કેલ ભૌગોલિક સ્થિતિના કારણે સામાન્ય વાહનોને પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં ખાસ ડિઝાઇન કરાયેલી 12 4WD એમ્બ્યુલન્સ દર્દીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.

‘ગોલ્ડન અવર’માં સારવારની શક્યતા વધશે

સરકારના આયોજન મુજબ ઇમરજન્સી સેવા દર્દી સુધી ઝડપથી પહોંચે અને ત્યારબાદ તેને હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડી શકાય તે બંને બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નવી એમ્બ્યુલન્સોના કારણે આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ઝડપી બનવાની અને ‘ગોલ્ડન અવર’ દરમિયાન જરૂરી સારવાર મળવાની શક્યતા વધવાની અપેક્ષા છે. 89 નવી એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવાયું છે અને ટૂંક સમયમાં આ સેવા કાર્યરત થવાની છે.

મુખ્ય મુદ્દા:

આદિજાતિ વિસ્તારોમાં 89 નવી 108 એમ્બ્યુલન્સ

એમ્બ્યુલન્સની સંખ્યા 553થી વધીને 642 થશે

રિસ્પોન્સ ટાઈમ 18:32થી આશરે 10 મિનિટ કરવાનો લક્ષ્ય

22 ALS અને 55 BLS એમ્બ્યુલન્સ

12 ખાસ 4WD એમ્બ્યુલન્સ

ભારે વરસાદ અને પૂરપ્રવણ વિસ્તારો પર ખાસ ફોકસ

આ પણ વાંચો : Panchmahal: ઘોઘંબા બસ સ્ટેશન પર હર્ષ સંઘવીએ કર્યું સ્વચ્છતા શ્રમદાન, સફાઈ કર્મીઓનો માન્યો આભાર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.