Get News Alerts

Never miss breaking news updates.

Dakor Janmashtami : ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઉઠ્યું ડાકોર, ભકતોમાં ભારે ઉત્સાહ

Dakor Janmashtami : યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 11:32 AM IST
Dakor Janmashtami : ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઉઠ્યું ડાકોર, ભકતોમાં ભારે ઉત્સાહDakor Janmashtami : ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઉઠ્યું ડાકોર, ભકતોમાં ભારે ઉત્સાહ

Dakor Janmashtami

Dakor Janmashtami : રાજાધિરાજ રાજા રણછોડરાયના પાવન ધામમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન રણછોડરાયના દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારે 6:45 કલાકે યોજાયેલી મંગળા આરતી દરમિયાન મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો. આરતી દરમિયાન ‘જય રણછોડ’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

કૃષ્ણ જન્મ બાદ સોનાના પારણે ઝૂલશે રણછોડરાય

જન્માષ્ટમી પર્વને લઈને ડાકોરમાં વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો છે. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના ગગનભેદી નાદથી ડાકોર મંદિર ભક્તિમય બની ગયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની આસ્થા સાથે દૂર દૂરથી આવેલા ભક્તોએ રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે ડાકોર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને મધરાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ સમયે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે ઉમટી પડવાની શક્યતા છે. કૃષ્ણ જન્મની ઘડીને લઈને મંદિર અને સમગ્ર ડાકોરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડાકોરમાં જન્માષ્ટમીનો ભક્તિમય માહોલ

કૃષ્ણ જન્મોત્સવ બાદ ભગવાન રણછોડરાયને વિશેષ રીતે સજાવવામાં આવેલા સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. આ પરંપરાગત ધાર્મિક વિધિના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જન્માષ્ટમીના પર્વે ડાકોર ખાતે સવારથી જ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મંગળા આરતીથી શરૂ થયેલી ધાર્મિક ઉજવણી હવે રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ તરફ આગળ વધી રહી છે. મધરાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે જયઘોષ અને ભક્તિના માહોલ વચ્ચે જન્માષ્ટમી પર્વની ઉજવણી ચરમસીમાએ પહોંચશે. ડાકોરના રણછોડરાય મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે દર્શન કરવા માટે ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેનાથી સમગ્ર યાત્રાધામ કૃષ્ણમય બન્યું છે.

આ પણ વાંચો : Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીએ શામળિયાનો અલૌકિક શણગાર, હીરાજડિત મુગટથી સજ્જ થયા ભગવાન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.