Get News Alerts

Never miss breaking news updates.

Junagadh : ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળાનું વિશેષ મહત્વ, વહેલી સવારે હજારો ભક્તોની ભીડ ઉમટી

Junagadh : ગિરનારની તળેટીમાં આવેલું પવિત્ર દામોદર કુંડ ભાદરવી અમાસના પવિત્ર દિવસે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 07:16 AM IST
Junagadh : ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળાનું વિશેષ મહત્વ, વહેલી સવારે હજારો ભક્તોની ભીડ ઉમટીJunagadh : ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળાનું વિશેષ મહત્વ, વહેલી સવારે હજારો ભક્તોની ભીડ ઉમટી

Junagadh Damodar Kund

Junagadh : વહેલી સવારથી જ દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પિતૃ અમાસ તરીકે ઓળખાતી ભાદરવી અમાસના દિવસે પિતૃઓની શાંતિ અને મોક્ષ માટે ધાર્મિક વિધિઓ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ભક્તોએ વહેલી સવારે દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી ભગવાન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કુંડના કાંઠે આવેલા પ્રાચીન મોક્ષ પીપળા પાસે પહોંચીને જળ અર્પણ, દીપ પ્રગટાવી પૂજા અને પિતૃ તર્પણ જેવી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો પરિવાર સાથે અહીં પહોંચ્યા હોવાથી સમગ્ર કુંડ પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

દામોદર કુંડ ખાતે આસ્થાનું અદભુત દૃશ્ય

ધાર્મિક માન્યતા મુજબ દામોદર કુંડને અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અહીં સ્નાન અને ધાર્મિક વિધિઓ કરવાથી પાપમાંથી મુક્તિ તથા પિતૃઓને શાંતિ મળે છે તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે મોક્ષ પીપળાની પૂજા અને જળ અર્પણનું વિશેષ મહત્વ હોવાનું માનવામાં આવે છે.

પુરાણોમાં પણ દામોદર કુંડના ધાર્મિક મહાત્મ્યનો ઉલ્લેખ જોવા મળે છે. લોકવાયકા મુજબ ભગવાન નરસિંહ મહેતાએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. આ પરંપરાને કારણે દામોદર કુંડ આજે પણ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

ભાદરવી અમાસ નિમિત્તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા હતા. વહેલી સવારથી જ કુંડ તરફ જતા માર્ગો પર ભક્તોની અવરજવર વધી હતી. દામોદર કુંડના કાંઠે સ્નાન કરતા ભક્તો, પૂજા-અર્ચના કરતા પરિવારજનો અને મોક્ષ પીપળા પાસે ધાર્મિક વિધિઓ કરતા શ્રદ્ધાળુઓના દૃશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે સમગ્ર દામોદર કુંડ પરિસર ‘હર હર મહાદેવ’ અને ધાર્મિક જયઘોષોથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળતા જૂનાગઢમાં ભાદરવી અમાસનો આ પવિત્ર દિવસ વિશેષ બની રહ્યો હતો.

આ પણ વાંચો : IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર IndiGo ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કાગળ પર ‘BOMB’ લખેલું મળતાં ખળભળાટ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.