Get News Alerts

Never miss breaking news updates.

Dang માં સરકારી કામની ગુણવત્તા સામે સવાલ! પ્રથમ વરસાદમાં જ રોડ-નાળાને ભારે નુકસાન થયું

Dang જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામમાંથી સરકારી વિકાસ કામની ગુણવત્તા સામે સવાલો ઉભા કરતો મામલો સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 12 Sep 2026 09:31 AM IST
Dang માં સરકારી કામની ગુણવત્તા સામે સવાલ! પ્રથમ વરસાદમાં જ રોડ-નાળાને ભારે નુકસાન થયુંDang માં સરકારી કામની ગુણવત્તા સામે સવાલ! પ્રથમ વરસાદમાં જ રોડ-નાળાને ભારે નુકસાન થયું

Vibrant Taluka Project Dang

Dang : મહાલપાડા ગામમાં ‘આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ વર્ષ 2024-25માં અંદાજે સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે નાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ, નાળું બન્યા બાદ પડેલા પ્રથમ વરસાદમાં જ તેની આસપાસ વ્યાપક ધોવાણ થયું છે અને નાળાને પણ નુકસાન પહોંચ્યું છે.

મળતી માહિતી મુજબ, જાનુભાઈના ખેતરથી ઈશ્વરભાઈના ખેતર તરફ જતા માર્ગ પર વરસાદી પાણીના વહેણને નિયંત્રિત કરવા માટે આ નાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ રહેતો હોવાથી પાણીના યોગ્ય નિકાલ માટે આ કામ કરવામાં આવ્યું હતું.

નાળા તૂટી જતા ગ્રામજનોમાં ભારે રોષ

પરંતુ પ્રથમ વરસાદ બાદ નાળાની આસપાસની જમીનમાં ધોવાણ જોવા મળતા સ્થાનિકોમાં બાંધકામની ગુણવત્તાને લઈને ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા કામને પ્રથમ વરસાદમાં જ નુકસાન પહોંચતા હવે તેની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે નાળાના બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી સામગ્રી, કામની પદ્ધતિ અને બાંધકામની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? જો નિયમો અને માપદંડો મુજબ કામ કરવામાં આવ્યું હોય તો પ્રથમ વરસાદમાં જ આ પ્રકારનું નુકસાન કેમ થયું, તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.

વિકાસના કામો નથી થયા બરોબર?

સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદારી નક્કી કરવાની માગ કરવામાં આવી રહી છે. સરકારી નાણાંમાંથી વિકાસ કામો કરવામાં આવતા હોવાથી કામની ગુણવત્તા અને તેની ટકાઉપણું જળવાય તે જરૂરી છે. સ્થાનિકોના આક્ષેપોને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને નાળાના બાંધકામની ગુણવત્તા અંગે ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

તપાસ બાદ જો કોઈ પ્રકારની બેદરકારી અથવા નિયમોનો ભંગ સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોના આક્ષેપો ચર્ચામાં છે અને સરકારી કામની ગુણવત્તા અંગે જવાબદાર તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. નાળાની હાલની સ્થિતિ અને બાંધકામની ગુણવત્તા અંગે સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : સાળંગપુરધામમાં દાદાનો દિવ્ય શણગાર, ગુલાબના ફૂલોથી ખીલી ઉઠ્યું ગર્ભગૃહ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે