Get News Alerts

Never miss breaking news updates.

Bharuch: 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, વિવિધ પ્રકારના કેસોનું સમાધાન

Bharuch: નાલસા દ્વારા આદેશિત તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 12 Sep 2026 04:59 PM IST
Bharuch: 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, વિવિધ પ્રકારના કેસોનું સમાધાનBharuch: 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, વિવિધ પ્રકારના કેસોનું સમાધાન

Bharuch

Bharuch: નાલસા દ્વારા આદેશિત તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે યોજાયેલી આ લોક અદાલતમાં પ્રિ-લિટિગેશન તેમજ પેન્ડિંગ કેસોને સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા.

દીપ પ્રજ્વલિત કરી લોક અદાલતનો પ્રારંભ

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા DLSAના ચેરમેન જે.આર. શાહના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઈ.એમ. શેખ, જજ વી.આર. રાજપૂત, DLSAના સેક્રેટરી પી.પી. મોકાશી, જજ બી.એસ. ગઢવી સહિતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.

વકીલો અને પક્ષકારોની પણ હાજરી

રાષ્ટ્રીય લોક અદાલતના પ્રારંભ પ્રસંગે ભરૂચ બાર એસોસિયેશનના વકીલો, પેરા-લીગલ વોલેન્ટિયર્સ, પેનલ એડવોકેટ્સ તેમજ વિવિધ કેસના પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા વિવાદોનો ઝડપી અને સરળતાથી ઉકેલ લાવવાનો રહ્યો હતો.

પ્રિ-લિટિગેશન અને પેન્ડિંગ કેસોનો સમાવેશ

આ લોક અદાલતમાં કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલાં સમાધાન માટે રજૂ કરવામાં આવતા પ્રિ-લિટિગેશન કેસો તેમજ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વીજ કંપની, બેંક, મોટર અકસ્માત વળતર, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ અને સમાધાનપાત્ર ફોજદારી કેસો સહિતના વિવિધ પ્રકારના કેસો રજૂ કરવામાં આવ્યા હતા.

વિવિધ પ્રકારના વિવાદો સમાધાન માટે રજૂ

લેણાંના દાવા, પાર્ટિશન સૂટ, મજૂર તકરારના દાવા સહિતના કેસો પણ રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. લોક અદાલત મારફતે પક્ષકારો વચ્ચે સમજૂતી કરાવી વિવાદોના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના 9 તાલુકા મથકો ખાતે પણ આયોજન

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાબાની તાલુકા કાનૂની સેવા સમિતિઓના સહયોગથી ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે પણ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે જિલ્લામાં વિવિધ સ્થળોએ લોક અદાલત યોજીને લોકોને તેમના કાનૂની વિવાદોનો સમાધાનના માર્ગે ઉકેલ લાવવાની તક પૂરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો : Aravalliમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! મોડાસા-માલપુર-મેઘરજમાં વરસાદ, સુકાતા પાકોને મળ્યું જીવતદાન

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.