Get News Alerts

Never miss breaking news updates.

Aravalli: ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસ બાદ શોધખોળનો અંત

Aravalli: અરવલ્લી જિલ્લાના ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Sep 2026 04:43 PM IST
Aravalli: ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસ બાદ શોધખોળનો અંતAravalli: ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસ બાદ શોધખોળનો અંત

Aravalli

Aravalli: અરવલ્લી જિલ્લાના ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. તળાવની પાળેથી યુવકનાં કપડાં અને ચપ્પલ મળી આવતા યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર ટીમ અને ટીંટોઈ પોલીસ દ્વારા તળાવમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

તળાવની પાળેથી કપડાં-ચપ્પલ મળ્યાં

મળતી માહિતી મુજબ, ફૂટા તળાવની પાળેથી કપડાં અને ચપ્પલ મળી આવ્યા હતા. જેના આધારે યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી.

બે દિવસથી ચાલી રહી હતી શોધખોળ

યુવકની શોધ માટે મોડાસા ફાયર ટીમ અને ટીંટોઈ પોલીસ દ્વારા તળાવમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બે દિવસ સુધી ભારે જહેમત બાદ આજે સવારે આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

બામણવાડાના યુવકનું મોત

તળાવમાંથી મળેલો મૃતદેહ બામણવાડા ગામના આકાશ કાંતિભાઈ તરાર (ઉંમર 27 વર્ષ)નો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

પોલીસે તપાસ હાથ ધરી

મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તેનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. યુવક કયા સંજોગોમાં તળાવ સુધી પહોંચ્યો હતો અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.