નડિયાદના મલ્હારપુરામાં લાકડાનાં પીઠામાં ભીષણ આગ, ફાયર વિભાગની 8 ટીમ ઘટનાસ્થળે



નડિયાદના મલ્હારપુરામાં લાકડાનાં પીઠામાં ભીષણ આગ, ફાયર વિભાગની 8 ટીમ ઘટનાસ્થળે



નડિયાદઃ નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં લાકડાનાં પીઠા (ડેપો)માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, આગ ખૂબ જ ઝડપથી વિકરાળ બની ગઈ હતી અને આસપાસના મકાનો સુધી પણ તેની અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગ વધુ પ્રસરી જતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નડિયાદ ટાઉન પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કંટ્રોલમાં લેવા કામગીરી હાથ ધરી હતી.
આ ઘટના બન્યાને બે કલાકથી વધુ સમય વિત્યા બાદ પણ આગ હજુ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે.




