Get News Alerts

Never miss breaking news updates.

જાપાનના ઇવાતે નજીક 7.2 તીવ્રતાનો ભૂકંપ, ચાર લોકો ઘાયલ, વેનેઝુએલામાં પણ ડબલ આંચકાથી ઈમરજન્સી જાહેર

જાપાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા ઇવાતે પ્રિફેક્ચર નજીક ગુરુવારે સવારે આવેલા 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. જાપાન હવામાન વિભાગ (JMA) અનુસાર ભૂકંપ સવારે લગભગ 7:30 વાગ્યે આવ્યો હતો. શરૂઆતમાં તેની તીવ્રતા 6.9 નોંધાઈ હતી, પરંતુ બાદમાં તેને વધારીને 7.2 કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 25 Jun 2026 10:54 AM IST
જાપાનના ઇવાતે નજીક 7.2 તીવ્રતાનો ભૂકંપ, ચાર લોકો ઘાયલ, વેનેઝુએલામાં પણ ડબલ આંચકાથી ઈમરજન્સી જાહેરજાપાનના ઇવાતે નજીક 7.2 તીવ્રતાનો ભૂકંપ, ચાર લોકો ઘાયલ, વેનેઝુએલામાં પણ ડબલ આંચકાથી ઈમરજન્સી જાહેર

જાપાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા ઇવાતે પ્રિફેક્ચર નજીક ગુરુવારે સવારે આવેલા 7.2 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. જાપાન હવામાન વિભાગ (JMA) અનુસાર ભૂકંપ સવારે લગભગ 7:30 વાગ્યે આવ્યો હતો. શરૂઆતમાં તેની તીવ્રતા 6.9 નોંધાઈ હતી, પરંતુ બાદમાં તેને વધારીને 7.2 કરવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્ર ઇવાતેના પૂર્વ કિનારાથી દૂર સમુદ્રમાં આશરે 40 કિલોમીટર ઊંડાઈએ હતું. આંચકાઓનો સૌથી વધુ પ્રભાવ આઓમોરી પ્રિફેક્ચરના હાશિકામી ટાઉન અને હાચિનોહે શહેરમાં જોવા મળ્યો હતો, જ્યાં જાપાનની સાત સ્તરની ભૂકંપીય તીવ્રતા માપણીમાં 'અપર 6' અને 'લોઅર 6' સ્તર નોંધાયું હતું.

JMAના જણાવ્યા અનુસાર ‘અપર 6’ તીવ્રતાના આંચકાઓ દરમિયાન લોકો માટે ઊભા રહેવું મુશ્કેલ બની જાય છે અને મોટાભાગનું ફર્નિચર ખસેડાઈ શકે છે અથવા પડી શકે છે. ભૂકંપના આંચકાઓ હોક્કાઇડો, અકિતા, ફુકુશિમા, મિયાગી, યામાગાતા તેમજ ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

સત્તાવાળાઓએ જણાવ્યું કે ભૂકંપ બાદ કોઈ સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત હિગાશિડોરી, ઓનાગાવા, ફુકુશિમા દાઇઇચી અને ફુકુશિમા દાઇની પરમાણુ વીજ પ્લાન્ટોમાં કોઈ અસામાન્યતા નોંધાઈ નથી.

બીજી તરફ, દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં પણ બુધવારે રાત્રે એક મિનિટના અંતરે 7.1 અને 7.5 તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ બંને ભૂકંપ મોરોન શહેર નજીક માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયા હતા. રાજધાની કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં ભારે આંચકા અનુભવાતા વ્યાપક નુકસાન થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે દેશમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.