કાબુલમાં કહેર! પાકિસ્તાનના એરસ્ટ્રાઈક પછી 400થી વધુ લોકોના મોત



કાબુલમાં કહેર! પાકિસ્તાનના એરસ્ટ્રાઈક પછી 400થી વધુ લોકોના મોત



પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલા દિવસોથી તણાવ ચાલી રહ્યો છે. તેવામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો અફઘાનિસ્તાની એક હોસ્પિટલ ઉપર કરવામાં આવ્યા હતા. તેમા આશરે 400 લોકોના મોત થયા અને 250થી વધારે લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ડૂરંડ લાઇન પર અથડામણ અને હવાઈ હુમલાઓએ બંને દેશો વચ્ચે ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. . પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એક મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં 400 લોકોના મોત અને 250 કરતા વધારે લોકો ઘાયલ થવાના સમાચાર છે. અને અફઘાનિસ્તાનના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 400 લોકો શહીદ થયા હતા અને આશરે 250 લોકો ઘાયલ થયા હતા. સમાચાર તાલિબાન સરકારે જણાવ્યું હતું કે હોસ્પિટલનો મોટા પાયે નુકશાન થયુ છે. અને હજુ મોતના આંકડા વધી શકે છે. તેના લીધે અફઘાનિસ્તાનના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હુમલામાં ફક્ત લશ્કરી સ્થાપનો અને આતંકવાદી સહાયક માળખાંને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અફઘાન તાલિબાનના ટેકનિકલ સાધનો અને દારૂગોળાના ડેપોનો સમાવેશ થાય છે. કાબુલ અને નાંગરહારમાં પાકિસ્તાની આતંકવાદીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ભારે સાવધાની સાથે કરવામાં આવી હતી જેથી કોલેટરલ નુકસાન ટાળી શકાય. હોસ્પિટલ પર હુમલાનો અફઘાન દાવો ખોટો અને ભ્રામક છે. તેનો હેતુ જાહેર લાગણીઓને ઉશ્કેરવાનો અને સત્ય છુપાવવાનો છે.
આ કથિત હવાઈ હુમલાના થોડા કલાકો પહેલા, અફઘાન અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે બંને પક્ષોએ તેમની વહેંચાયેલ સરહદ પર ગોળીબાર કર્યો હતો, જેમાં અફઘાનિસ્તાનમાં ચાર લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે પાકિસ્તાન પર બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બંને દેશો વચ્ચેની લડાઈ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે, અને પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.




