Get News Alerts

Never miss breaking news updates.

પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન

પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન થતાં પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી, જ્યારે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, ગામજનો અને સગા-સ્નેહીઓ જોડાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jul 2026 04:13 PM IST
પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધનપૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાના કારણે આકસ્મિક નિધન થતાં પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતા સહકર્મચારીઓ, મિત્રો અને પરિચિતોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.

સહકર્મચારીઓએ અશ્રુભીની આંખે અંતિમ સલામી આપી, અંતિમ યાત્રામાં પોલીસ જવાનો અને ગામજનોએ શ્રદ્ધાંજલિ અર્પી

માહિતી અનુસાર, સુભાષચંદ્ર રાજગોર પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હૃદયરોગનો અચાનક હુમલો આવતાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો ઉપરાંત પોલીસ વિભાગે પણ એક અનુભવી અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ગુમાવ્યો છે.

તેમના અંતિમ દર્શન દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનોએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ સલામી આપવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.