Get News Alerts

Never miss breaking news updates.

બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 10:51 AM IST
બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોતબગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત

અમરેલી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામની સીમ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિંહણ દ્વારા 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધાની ચોંકાવનારી ઘટના બની છે, જેમાં બાળકનું મોત થયું છે.

માહિતી મુજબ, પારસભાઈ સોજીત્રાની વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારનો 7 વર્ષનો બાળક હાજર હતો ત્યારે સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાથી મોડી રાતે ગામમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. ગ્રામજનોએ સિંહ અને દીપડાના સતત અવરજવર અને અગાઉ થયેલા હુમલાના બનાવોને લઈને વનવિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ઘટનાની જાણ થતાં જ બગસરા વનવિભાગના ACF સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક અનુમાન મુજબ હુમલો કરનાર સિંહણ પોતાના સિંહબાળ સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના પગલે વિસ્તારમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.