રાજકોટના રૈયા રોડ અકસ્માતમાં પોલીસની કામગીરી સામે સવાલ, સગીર સામે માત્ર ગુનો નોંધી સંતોષ માન્યો!



રાજકોટના રૈયા રોડ અકસ્માતમાં પોલીસની કામગીરી સામે સવાલ, સગીર સામે માત્ર ગુનો નોંધી સંતોષ માન્યો!



Rajkot Police: રાજકોટના રૈયા રોડ પર ગઈકાલે સર્જાયેલા ગંભીર અકસ્માતના મામલે ગાંધીગ્રામ પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે, આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
પ્રાથમિક કાર્યવાહી હેઠળ પોલીસે માત્ર સગીર સામે ગુનો દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી કારના માલિક તેમજ સગીરના પિતાની ભૂમિકાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે, આ બંને સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મામલે પોલીસનું કહેવું છે કે, તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા હાલ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સગીર દ્વારા કાર ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નુકસાન અને ઇજાના બનાવો સામે આવ્યા હતા. આ ઘટનાને પગલે સગીરોને વાહન ચલાવવા આપવા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. હાલ ગાંધીગ્રામ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.




