Get News Alerts

Never miss breaking news updates.

વાપીમાં રેલવે કેબલ ચોરીનો પર્દાફાશ, RPFએ ત્રણ આરોપીઓને ઝડપ્યા

15 એપ્રિલ, 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ્યોર નોંધાયો હતો. તાત્કાલિક RPF અને સિગ્નલ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં સિગ્નલ કેબલ ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાનો ખુલાસો થયો હતો. ઝડપી કાર્યવાહી કરીને ઉમેશ સાહની (35)ને ચોરી કરેલા કેબલ સાથે રંગેહાથ ઝડપવામાં આવ્યો હતો. આ બનાવમાં આશરે ₹1.44 લાખનું નુકસાન થવાનું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 03:27 PM IST
વાપીમાં રેલવે કેબલ ચોરીનો પર્દાફાશ, RPFએ ત્રણ આરોપીઓને ઝડપ્યાવાપીમાં રેલવે કેબલ ચોરીનો પર્દાફાશ, RPFએ ત્રણ આરોપીઓને ઝડપ્યા

AI Image

વાપી : દક્ષિણ ગુજરાતના વાપીમાં રેલવે સિગ્નલ કેબલ ચોરીના બનાવોમાં Railway Protection Force (RPF)એ સફળ કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન અટકાવવામાં આવ્યું છે અને ટ્રેન સેવા ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

માહિતી મુજબ, 15 એપ્રિલ, 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ્યોર નોંધાયો હતો. તાત્કાલિક RPF અને સિગ્નલ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં સિગ્નલ કેબલ ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાનો ખુલાસો થયો હતો. ઝડપી કાર્યવાહી કરીને ઉમેશ સાહની (35)ને ચોરી કરેલા કેબલ સાથે રંગેહાથ ઝડપવામાં આવ્યો હતો. આ બનાવમાં આશરે ₹1.44 લાખનું નુકસાન થવાનું હતું.

તે પહેલાં 14 એપ્રિલે વાપી–કરમબેલી અને વાપી–ઉદવાડા સેકશનમાં પણ ટ્રેકમાં ખામી નોંધાઈ હતી. તપાસ દરમિયાન RPFએ CPDS ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી ભીલખાડી વિસ્તારના જંગલ અને ઝાડીઓમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમન પાંડે (22) અને રોહિત (20)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલા કોપર કેબલ તેમજ હેક્સા બ્લેડ જપ્ત કરવામાં આવ્યા હતા.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે નુકસાનગ્રસ્ત સિગ્નલ સિસ્ટમને પ્રાથમિકતાથી દુરસ્ત કરવામાં આવી હતી, જેના કારણે ટ્રેન વ્યવહાર ફરી શરૂ થઈ શક્યો હતો, જોકે થોડા સમય માટે સેવાઓ પર અસર પડી હતી.

પ્રાથમિક તપાસમાં ઉમેશ સાહની અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને સુરતની રેલવે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

રેલવે તંત્રએ નાગરિકોને રેલવે સંપત્તિની સુરક્ષા માટે સહકાર આપવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો RPF હેલ્પલાઇન 139 પર જાણ કરવાની અપીલ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.