Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાર્મા પેઢીઓ પર દરોડા: રૂ. 1.21 કરોડનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત

આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 May 2026 04:21 PM IST
અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાર્મા પેઢીઓ પર દરોડા: રૂ. 1.21 કરોડનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્તઅમદાવાદ સહિત રાજ્યભરમાં ફાર્મા પેઢીઓ પર દરોડા: રૂ. 1.21 કરોડનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત

અમદાવાદ: શહેર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન અંદાજે રૂ. 1.21 કરોડથી વધુના શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.

તપાસ દરમિયાન અમદાવાદમાં કોડીન સીરપ સહિત નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો છે, જ્યારે ગોમતીપુર વિસ્તારમાં બનાવટી દવાઓ પણ મળી આવી છે. કેટલીક પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે અને અનિયમિતતા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત Vadodara, Savli અને Bharuchમાં પણ દરોડા પાડી ગેરકાયદેસર દવાઓ જપ્ત કરવામાં આવી છે. કેટલાક ઉત્પાદકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.