રાજકોટના જાગનાથ પ્લોટમાં અકસ્માતોના સિલસિલાથી સ્થાનિકો ચિંતિત
રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો બનતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

Rahul DesaiUpdated on: 19 May 2026 01:50 PM IST


રાજકોટના જાગનાથ પ્લોટમાં અકસ્માતોના સિલસિલાથી સ્થાનિકો ચિંતિત
રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો બનતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

Rahul Desai
Updated on: 19 May 2026 01:50 PM IST


રાજકોટ રાજકોટમાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.
ગઈકાલે રાત્રે જાગનાથ પ્લોટ 4/5 ના ખૂણા પાસે બાઈક અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં સ્પીડ બ્રેકર ન હોવાથી અવારનવાર અકસ્માતો બની રહ્યા છે. આ અંગે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પહેલાં પણ આ વિસ્તારમાં કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હોવાની ઘટના બની હતી. આડી અને ઊભી શેરીઓમાંથી અચાનક વાહનો આવતાં હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
AUTHOR




