Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં 'સંવિધાન હત્યા દિવસ' ભાજપ કાર્યાલયે પ્રદર્શન, કટોકટીના સમયને યાદ કર્યો

Jamnagar BJP News: જામનગરમાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે કટોકટીના સમયગાળાને યાદ કરતું પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન દ્વારા વર્ષ 1975ની કટોકટીને ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય ગણાવી તે સમયની ઘટનાઓને રજૂ કરવામાં આવી.
Admin
AdminUpdated on: 28 Jun 2026 09:44 PM IST
જામનગરમાં 'સંવિધાન હત્યા દિવસ' ભાજપ કાર્યાલયે પ્રદર્શન, કટોકટીના સમયને યાદ કર્યોજામનગરમાં 'સંવિધાન હત્યા દિવસ' ભાજપ કાર્યાલયે પ્રદર્શન, કટોકટીના સમયને યાદ કર્યો

Jamnagar BJP News: જામનગરમાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે કટોકટીના સમયગાળાને યાદ કરતું પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન દ્વારા વર્ષ 1975ની કટોકટીને ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય ગણાવી તે સમયની ઘટનાઓને રજૂ કરવામાં આવી.

માહિતીપ્રદ બેનરો અને ફોટોગ્રાફ્સના માધ્યમથી નાગરિક અધિકારો પર લાગેલા પ્રતિબંધો, પત્રકારત્વ પરની સેન્સરશિપ અને રાજકીય ધરપકડો જેવી ઘટનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. 

આ કાર્યક્રમ દરમિયાન લોકશાહી મૂલ્યો, બંધારણના મહત્વ અને નાગરિક અધિકારોના સંરક્ષણ માટે સજાગ રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રદર્શન ઉદ્ઘાટનમાં રાજ્યના મંત્રી રિવાબા જાડેજા ખાસ હાજર રહ્યા હતા.  
 

AUTHOR
Admin

Admin

Author details are not available.