ઇરાનની ચોખવટ - બીજીવાર કોઈ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન નથી ગયું; અમેરિકા સાથે વાતચીત મામલે સસ્પેન્સ



ફાઇલ તસવીર
ઇરાનની ચોખવટ - બીજીવાર કોઈ પ્રતિનિધિમંડળ પાકિસ્તાન નથી ગયું; અમેરિકા સાથે વાતચીત મામલે સસ્પેન્સ



ફાઇલ તસવીર
Iran America Tension: ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે મંગળવારે એક ઓન-સ્ક્રીન ચેતવણી જાહેર કરીને કહ્યું કે, ‘કોઈ ઈરાની પ્રતિનિધિમંડળ હજુ સુધી ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યું નથી.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો અંગે અટકળો ચાલી રહી છે.
સ્ક્રિન એલર્ટ ઇરાનની ધર્મતાંત્રિક વ્યવસ્થામાં સંભવિત આંતરિક દલીલને સ્પષ્ટ કરકે છે, જેમાં તે સપ્તાંતમાં અમેરિકી સેના દ્વારા એક ઇરાનનું કન્ટેનર કબ્જે કરવા માટે પોતાની પ્રતિક્રિયાને લઈને વિચાર કરતું હોય, તેવું દર્શાવે છે.
ઈરાનની ધાર્મિક વ્યવસ્થામાં કટ્ટરપંથી નેતાઓ લાંબા સમયથી સરકારી ટેલિવિઝન પર નિયંત્રણ ધરાવે છે. હજુ સુધી કોઈ અધિકારીએ પુષ્ટિ આપી નથી કે, કોઈ પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ જશે. પાકિસ્તાની અધિકારીઓએ ઈસ્લામાબાદમાં સંભવિત વાટાઘાટો માટે તૈયારીઓ કરી લીધી છે.
જો યુદ્ધવિરામ વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાય છે, તો યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ઈરાને હજુ સુધી જાહેરાત કરી નથી કે તેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે. છેલ્લી વખત, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈરાની પક્ષનું નેતૃત્વ કર્યું હતું.




