યુવા ખેલાડીઓ માટે પ્રેરણા: અમદાવાદમાં સચિન તેંડુલકરનો સંવાદ કાર્યક્રમ



યુવા ખેલાડીઓ માટે પ્રેરણા: અમદાવાદમાં સચિન તેંડુલકરનો સંવાદ કાર્યક્રમ



અમદાવાદ, 19 મે 2026: અમદાવાદ સ્થિત SRT10 Altvol Centre of Excellence Sports Academy ખાતે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અકાદમીમાં તાલીમ લઈ રહેલા યુવા ક્રિકેટરો સાથે સમય વિતાવ્યો અને તેમને પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં સચિન તેંડુલકરે બાળકો, વાલીઓ અને ટ્રેની ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓ મેદાનમાં પણ યુવા ખેલાડીઓ સાથે જોડાયા હતા અને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને આત્મવિશ્વાસ જેવા મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે રમતગમતમાં સફળતા માટે સૌથી મહત્વનું છે તક, શિસ્ત અને સતત પ્રયત્ન. બાળકોને ડર કે દબાણ વિના રમવાનો આનંદ માણવો જોઈએ, કારણ કે રમત તેમને જીવનના મહત્વના મૂલ્યો શીખવે છે.
આ પ્રસંગે અકાદમીના સહસ્થાપક ચિરાગ પટેલે જણાવ્યું કે સચિન તેંડુલકરની હાજરીથી યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનો નવો ઉત્સાહ જોવા મળ્યો છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે અકાદમીના રમતગમત વિકાસના પ્રયાસોને વધુ બળ મળ્યું છે.




