Get News Alerts

Never miss breaking news updates.

ભારત સરકારનો અચાનક મોબાઈલ એલર્ટ: કારણ શું?

આ એલર્ટ Government of India દ્વારા “Wireless Emergency Alert” સિસ્ટમ ચકાસવા માટે મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં સ્પષ્ટ કરાયું હતું કે ગભરાવાની જરૂર નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 May 2026 01:01 PM IST
ભારત સરકારનો અચાનક મોબાઈલ એલર્ટ: કારણ શું?ભારત સરકારનો અચાનક મોબાઈલ એલર્ટ: કારણ શું?

નવી દિલ્હી: શનિવારે લગભગ 11:41 વાગ્યે દેશભરના મોબાઈલ ફોન પર અચાનક SOS સાઉન્ડ સાથે એલર્ટ મેસેજ આવતા લોકો ચોંકી ગયા હતા. પરંતુ આ કોઈ ઇમરજન્સી નહીં, માત્ર ટેસ્ટિંગ હતું.

આ એલર્ટ Government of India દ્વારા “Wireless Emergency Alert” સિસ્ટમ ચકાસવા માટે મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં સ્પષ્ટ કરાયું હતું કે ગભરાવાની જરૂર નથી.

આ સિસ્ટમ Department of Telecommunications (DoT) અને National Disaster Management Authority (NDMA) દ્વારા વિકસાવવામાં આવી છે, જ્યારે ટેક્નોલોજી C-DOT દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આનો હેતુ આપત્તિ સમયે નાગરિકોને સમયસર ચેતવણી આપવાનો છે. મોબાઈલ યુઝર્સ ઇચ્છે તો સેટિંગ્સમાં જઈ આ એલર્ટને ચાલુ કે બંધ પણ કરી શકે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.