Get News Alerts

Never miss breaking news updates.

કચ્છમાં આચાર્ય દેવવ્રતજીએ મગનભાઈના ઘરે માણ્યો સાદા કચ્છી ભોજન કર્યું

પ્રોટોકોલ અને ઔપચારિકતા છોડીને રાજ્યપાલશ્રીએ જમીન પર બેસીને ગામડાની સાદગીથી ભરપૂર કચ્છી ભોજનનો આનંદ માણ્યો હતો. પરંપરાગત કચ્છી ભોજનનો આસ્વાદ
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 May 2026 04:26 PM IST
કચ્છમાં આચાર્ય દેવવ્રતજીએ મગનભાઈના ઘરે માણ્યો સાદા કચ્છી ભોજન કર્યુંકચ્છમાં આચાર્ય દેવવ્રતજીએ મગનભાઈના ઘરે માણ્યો સાદા કચ્છી ભોજન કર્યું

ભુજ/કચ્છ: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત હાલ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. આ દરમિયાન આજે એક અનોખું અને હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યારે રાજ્યપાલશ્રી ભુજ તાલુકાના કોડકી ગામે સામાન્ય નાગરિક મગનભાઈ મહેશ્વરીના ઘરે અચાનક લંચ માટે પહોંચ્યા હતા.

પ્રોટોકોલ અને ઔપચારિકતા છોડીને રાજ્યપાલશ્રીએ જમીન પર બેસીને ગામડાની સાદગીથી ભરપૂર કચ્છી ભોજનનો આનંદ માણ્યો હતો. પરંપરાગત કચ્છી ભોજનનો આસ્વાદ

મગનભાઈના પરિવાર દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરાયેલા ભોજનમાં કચ્છની પરંપરાગત વાનગીઓ સામેલ હતી:  જુવારના ગરમાગરમ રોટલા ઘઉંની રોટલી દૂધી અને મગનું શાક ઠંડી અને તાજગીભરી છાશ રાજ્યપાલશ્રીએ આ સાદા પરંતુ પૌષ્ટિક ભોજનનો દિલથી સ્વાદ માણ્યો હતો.

પરિવાર સાથે આત્મીય સંવાદ  ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ મગનભાઈના પરિવાર સાથે સહજ અને આત્મીય વાતચીત કરી હતી. તેમણે દરેક સભ્યના ખબર-અંતર પૂછ્યા અને ગ્રામ્ય જીવનશૈલી વિશે પણ જાણકારી મેળવી હતી. તેમની સરળતા અને નજીકતાને કારણે પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો.

વળતું આમંત્રણ આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ મગનભાઈના સમગ્ર પરિવારને ગાંધીનગર સ્થિત રાજભવનમાં ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ ઘટના માત્ર એક મુલાકાત નહીં પરંતુ લોકશાહી અને માનવીય સંબંધોની સુંદર ઝલક બની રહી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રકારની મુલાકાતો ગામડાના લોકોમાં આત્મવિશ્વાસ અને સરકાર પ્રત્યેની નજીકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.