Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં 1.25 કરોડ લોકો ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ :હર્ષ સંઘવી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 21 જૂને રાજ્યભરમાં 24 હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 1.25 કરોડ લોકો ભાગ લેશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ માણસા ખાતે યોજાશે, જ્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 02:53 PM IST
ગુજરાતમાં 1.25 કરોડ લોકો ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ :હર્ષ સંઘવીગુજરાતમાં 1.25 કરોડ લોકો ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ :હર્ષ સંઘવી

ફાઈલ ફોટો

ગાંધીનગર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ગુજરાત તૈયાર, 24 હજારથી વધુ સ્થળોએ યોજાશે કાર્યક્રમો રાજ્યભરમાં 1.25 કરોડથી વધુ લોકો જોડાશે યોગ મહોત્સવમાં; અમદાવાદમાં અમિત શાહ અને માણસામાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ  
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 21 જૂને રાજ્યભરમાં લાખો લોકોની ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghaviએ કાર્યક્રમોની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે રાજ્યભરમાં 24 હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે.

રાજ્યભરમાં 24 હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો
ગુજરાત યોગ બોર્ડના આયોજન હેઠળ રાજ્યના નાના-મોટા મળી 24 હજારથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગામડાંથી લઈને શહેરો સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, જ્યારે 10થી વધુ મોટા જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

1.25 કરોડ લોકો જોડાશે યોગ મહોત્સવમાં
રાજ્ય સરકારના અંદાજ મુજબ આ વર્ષે આશરે 1.25 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા કક્ષાએ એકસાથે યોગ કાર્યક્રમો યોજાશે, જેના કારણે સમગ્ર રાજ્ય યોગમય બનશે.

5 હજાર સમિતિઓને સોંપાઈ જવાબદારી
યોગ દિવસના સફળ આયોજન માટે રાજ્યભરમાં 5 હજારથી વધુ સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા સ્થળ વ્યવસ્થા, સહભાગીઓનું સંકલન અને કાર્યક્રમોના સંચાલનની જવાબદારી નિભાવવામાં આવી રહી છે.

યોગ શિક્ષકોની માંગમાં વધારો
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યોગ પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ યોગ શિક્ષકોની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે યોગના વૈશ્વિક સ્વીકારનું પ્રતિબિંબ છે.

માણસા અને અમદાવાદમાં રહેશે ખાસ આકર્ષણ
રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ માણસા ખાતે યોજાશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અમદાવાદમાં યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાજ્યના વિવિધ શહેરોમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.