વડોદરામાં 8 મહિના બાદ ગંભીરા બ્રિજ ફરી ખુલ્લો મૂકાયો



વડોદરામાં 8 મહિના બાદ ગંભીરા બ્રિજ ફરી ખુલ્લો મૂકાયો



વડોદરામાં આજે ગંભીરાને જોડતો બ્રિજ તૈયાર કરી દ્વિ ચક્રી વાહનો માટે અને પગપાળા જતા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેને લીધે હજારો લોકોને રાહત મળશે. 8 મહિના પહેલા તંત્રની બેદરકારીથી આ બ્રિજ તૂટી પડતા ભારે નુકશાન થયો હતુ. જેના કારણે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. 8 મહિના બાદ રાજ્ય માર્ગમાં ટ્રાયલ બાદ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જૂના બ્રિજની બાજુમાં જ આ બ્રિજ બનાવામાં આવ્યો છે.
વડોદરામાં 8 મહિલા પહેલા તંત્રની બેદરકારીના લીધે ગંભીરા બ્રિજ તૂટી પડયો હતો. જ્યારે મોટા પ્રમાણે નુકશાન થયુ હતુ. જેને કારણે અત્યાર સુધીમાં આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે 1 એપ્રિલથી દ્વિ ચક્રી વાહનો અને પગપાળા ચાલતા લોકો માટે આ પૂલ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેને લઈને પાદરાથી આણંદ જતા લોકો માટે સારા સમાચાર છે. આ પૂલ ચાલુ થઈ ગયા પછી નોકરી ધંધા જતા લોકોને મોટી રાહત મળશે.
ગંભીરા બ્રિજ તંત્રની બેદરકારીથી નુકશાન થયુ ત્યારે આ બ્રિજને 8 મહિના સુધી બંધ કરીને તેના ઉપર કામ કરવામાં આવ્યુ હતુ. અને જૂના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવામાં આવ્યો હતો. પરંતુ 8 મહિનાથી આ બ્રિજ બંધ રહેતા સામાન્ય પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બ્રિજ રાજ્ય માર્ગ અને મકાન વિભાગના ટ્રાયલ બાદ આ બ્રિજ આથી સામાન્ય પ્રજા માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે. પાદરા તરફથી આણંદ જતા લોકો માટે મોટી રાહત મળશે.




