Get News Alerts

Never miss breaking news updates.

ભચાઉમાં ફાયરિંગની ઘટના: વ્યક્તિની ગોળી મારી હત્યા, આરોપી ફરાર

ભચાઉ ખાતે આજે ફાયરિંગની એક ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરીને આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ હત્યા કેમ કરવામાં આવી તેની તપાસ હાલ ચાલુ છે. લોકોના કહેવા પ્રમાણે આ હત્યા અંગત કારણ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Apr 2026 01:51 PM IST
ભચાઉમાં ફાયરિંગની ઘટના: વ્યક્તિની ગોળી મારી હત્યા, આરોપી ફરારભચાઉમાં ફાયરિંગની ઘટના: વ્યક્તિની ગોળી મારી હત્યા, આરોપી ફરાર

ફાઈલ ફોટો

ભચાઉ: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ નજીક થયેલી આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, હરગોવિંદભાઈ સાધુ અને મુકેશ સાધુ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા મુકેશ સાધુએ હરગોવિંદભાઈ પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં હરગોવિંદભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ આરોપી મુકેશ સાધુ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ફાયરિંગની ઘટના અંગે આસપાસના વિસ્તારમાં જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બનાવ અંગત રંજિશને કારણે બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.