Get News Alerts

Never miss breaking news updates.

IPL 2026 બાદ ત્રણ ટીમોમાં કેપ્ટનશીપ બદલાવની ચર્ચા તેજ, પંત-અક્ષર સહિત આ ખેલાડીઓ પર લટકતી તલવાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે કેટલીક ટીમોના ખરાબ પ્રદર્શન બાદ આગામી સીઝન માટે મોટા ફેરફારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટનશીપ બદલાવની અટકળોએ જોર પકડ્યું છે. ઋષભ પંત, અક્ષર પટેલ અને અજિંક્ય રહાણે જેવા મોટા નામોની કેપ્ટનશીપ પર હવે સવાલો ઊભા થયા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 05:00 PM IST
IPL 2026 બાદ ત્રણ ટીમોમાં કેપ્ટનશીપ બદલાવની ચર્ચા તેજ, પંત-અક્ષર સહિત આ ખેલાડીઓ પર લટકતી તલવારIPL 2026 બાદ ત્રણ ટીમોમાં કેપ્ટનશીપ બદલાવની ચર્ચા તેજ, પંત-અક્ષર સહિત આ ખેલાડીઓ પર લટકતી તલવાર

AI Image

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસ દિવસેને દિવસે વધુ રસપ્રદ બની રહી છે. બીજી તરફ કેટલીક ટીમો સત્તાવાર રીતે પ્લેઓફની દોડમાંથી બહાર થઈ જતા હવે આગામી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે કેટલીક ફ્રેન્ચાઇઝીઓ પોતાના કેપ્ટન બદલવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઋષભ પંતની કેપ્ટનશીપ પર સૌથી મોટો સવાલ

લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2026 સીઝન પહેલાં ઋષભ પંતને રેકોર્ડ ₹27 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો અને ટીમને તેની પાસેથી મોટી અપેક્ષાઓ હતી. જોકે, આ સીઝનમાં પંત બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં નિરાશાજનક સાબિત થયો છે.

કાગળ પર મજબૂત દેખાતી લખનૌની ટીમ મેદાન પર પ્રભાવ પાડી શકી નથી અને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફ્રેન્ચાઇઝી આગામી સીઝન માટે નવા કેપ્ટનની શોધમાં છે.

દિલ્હી કેપિટલ્સમાં પણ મોટો ફેરફાર શક્ય

દિલ્હી કેપિટલ્સની ટીમ પણ આ સીઝનમાં ખાસ અસર છોડી શકી નથી. ટીમના કેપ્ટન અક્ષર પટેલ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટ અક્ષરની નિર્ણય લેવાની ક્ષમતાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, અક્ષર પટેલ ઘણા નિર્ણયો માટે હેમાંગ બદાણી અને વેણુગોપાલ રાવ પર નિર્ભર રહે છે. જેના કારણે આગામી સીઝનમાં તેમની કેપ્ટનશીપ જળવાઈ રહે તે મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. સાથે જ ટીમના કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે.

KKRમાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ પર પણ સંકટ

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ આ સીઝન ખાસ રહી નથી. ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પોતાની કેપ્ટનશીપમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. ટીમનું મેદાન પરનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે.

રહાણે આ સીઝનમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે માત્ર 133ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે, જે વર્તમાન T20 ક્રિકેટના ધોરણ મુજબ ઓછું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આગામી સીઝનમાં KKR નવા કેપ્ટન પર દાવ લગાવી શકે છે.

આગામી IPL સીઝનમાં મોટા બદલાવની શક્યતા

IPL 2026 પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે અનેક ફ્રેન્ચાઇઝીઓ આગામી સીઝન માટે ટીમમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. જેમાં કેપ્ટનશીપમાં બદલાવ સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.