Get News Alerts

Never miss breaking news updates.

રાજા શિવાજી ફિલ્મને ટેક્સ-ફ્રી કરવાની માંગ, અંબાદાસ દાનવેનો CM ફડણવીસને પત્ર લખ્યો

અંબ ાદાસ દાનવેએ મહારાષ્ટ્રના CMને પત્ર લખ્યો છે કે રાજા શિવાજી ફિલ્મને રાજ્યભરમાં ટેક્સ ફ્રી કરવાની માંગ કરવાની આવી છે. તેમનું કહેવુ છે કે આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને સિદ્ધિઓ પર આધારિત છે.જો આ ફિલ્મ ટેક્સ ફ્રી થશે તો તે પ્રોત્સાહન મળશે. અને આગળ જણાવ્યુ કહ્યુ કે આફિલ્મ ખાલી મનોરંજન નથી પરંતુ સ્વરાજ્યના મૂુલ્યો નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 11:56 AM IST
રાજા શિવાજી ફિલ્મને ટેક્સ-ફ્રી કરવાની માંગ, અંબાદાસ દાનવેનો CM ફડણવીસને પત્ર લખ્યોરાજા શિવાજી ફિલ્મને ટેક્સ-ફ્રી કરવાની માંગ, અંબાદાસ દાનવેનો CM ફડણવીસને પત્ર લખ્યો

મુંબઈ: અંબાદાસ દાનવેએ મહારાષ્ટ્ર સરકાર પાસે રાજા શિવાજી ફિલ્મને રાજ્યભરમાં ટેક્સ-ફ્રી કરવાની માંગ કરી છે. તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ફડણવીસને સત્તાવાર પત્ર લખ્યો છે

આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને સિદ્ધિઓ પર આધારિત છે. ફિલ્મ ટેક્સ-ફ્રી થવાથી તેને પ્રોત્સાહન મળશે અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના વિચારોને વધુ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં મદદ મળશે.

અંબાદાસ દાનવેએ જણાવ્યું કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સ્વરાજ્યના મૂલ્યો નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ સાધન છે. ટેક્સ-ફ્રી થવાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય લોકો ફિલ્મ જોઈ શકશે.

પત્રમાં તેમણે લખ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર મહારાષ્ટ્ર નહીં, પરંતુ સમગ્ર દેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખના આધારસ્તંભ છે. તેમના દ્વારા સ્થાપિત ‘હિંદવી સ્વરાજ્ય’ ન્યાય, સમાનતા, મહિલાઓની સુરક્ષા, ખેડૂતોના હિત અને ધાર્મિક સહિષ્ણુતા જેવા મૂલ્યો પર આધારિત આદર્શ શાસન હતું.

આજની યુવા પેઢીએ શિવાજી મહારાજની દુરંદેશી, સાહસ અને રણનીતિની પ્રેરણાદાયક કહાની મોટા પડદા પર જોવી જોઈએ, જેથી તેઓ તેમના આદર્શોથી પ્રેરણા મેળવી શકે

તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું કે ફિલ્મ ટેક્સ-ફ્રી થવાથી ટિકિટના દર ઓછા થશે, જેના કારણે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ જોવી વધુ સરળ બનશે. તેમણે આને માત્ર ફિલ્મ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જાગૃતિનો એક અભિયાન ગણાવ્યો.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.