Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3 શંકાસ્પદો ATSને સોંપાયા

રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પર સોમવારે મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં અંદાજે 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. બાતમીના આધારે સેન્ટ્રલ આઈબી અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પણ અટકાયત કરવામાં આવી છે અને તેમને વધુ તપાસ માટે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યા છે. સમગ્ર મામલે ચાંદીના જથ્થાની વાસ્તવિકતા અને તેની હેરફેર પાછળના નેટવર્ક અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 01:42 PM IST
રાજકોટ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3 શંકાસ્પદો ATSને સોંપાયારાજકોટ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, 3 શંકાસ્પદો ATSને સોંપાયા

રાજકોટ: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પરથી અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતનો 400 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. આ મામલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માહિતી અનુસાર, શનિવારે મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટના કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ મોટો ખુલાસો થયો હતો. ચાંદીનો જથ્થો વારાણસીની એક પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કાર્ગોની વિગતવાર તપાસ દરમિયાન ચાંદીના જથ્થા સંબંધિત બિલ, મોકલનાર અને પ્રાપ્તકર્તા અંગે શંકાસ્પદ બાબતો સામે આવી છે, જેના કારણે સમગ્ર જથ્થાને કબજે લેવામાં આવ્યો છે.

આ કાર્યવાહી બાદ સેન્ટ્રલ GST અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ અલગથી તપાસ શરૂ થવાની શક્યતા છે. એટીએસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ કેસ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે એટીએસને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.